Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૩૪ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
-અગિયારમું પદ: ભાષા PPPPPPPPPP222 અવધારિણી ભાષા - | १ से णूणं भंते ! मण्णामीति ओहारिणी भासा, चिंतेमीति ओहारिणी भासा, अह मण्णामीति ओहारिणी भासा, अह चिंतेमीति ओहारिणी भासा, तह मण्णामीति ओहारिणी भासा, तह चिंतेमीति ओहारिणी भासा?
हंता गोयमा ! मण्णामीति ओहारिणी भासा, चिंतेमीति ओहारिणी भासा, अह मण्णामीति ओहारिणी भासा, अह चिंतेमीति ओहारिणो भासा, तह मण्णामीति ओहारिणी भासा, तह चिंतेमीति ओहारिणी भासा । ભાવાર્થ-પગ્ન- હે ભગવન! હે માન છે કે ભાષા અવધારિણી-પદાર્થનો અવબોધ કરાવનારી છે. હું ચિંતન કરું છું કે ભાષા અવધારિણી છે; શું હું એ પ્રમાણે માનું કે ભાષા અવધારિણી છે? શું હું એ પ્રમાણે ચિંતન કરું કે ભાષા અવધારિણી છે? પહેલા હું માનતો હતો તે જ પ્રમાણે અત્યારે પણ માનું કે ભાષા અવધારિણી છે? તે જ પ્રમાણે હું ચિંતન કરું કે ભાષા અવધારિણી છે?
ઉત્તર- હા, ગૌતમ! તમે માનો કે ભાષા અવધારિણી છે, તમે ચિંતન કરો કે ભાષા અવધારિણી છે, તમે એ પ્રમાણે માનો અને ચિંતન કરો કે ભાષા અવધારિણી છે, પહેલા માનતા હતા તે જ રીતે તમે અત્યારે પણ માનો અને ચિંતન કરો કે ભાષા અવધારિણી છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભાષાના માહાસ્ય દર્શાવતાં તેના અવધારણ ગુણને પ્રગટ કર્યો છે. જે પૂM મUMામતિ – સૂત્રમાં છવાક્યો છે, જેમાં પ્રથમ બે વાક્યાંશમાં પોતાના ભાવનું નિવેદન માત્ર છે– (૧) હે ભગવન્! હું એમ માનું છું કે ભાષા અવધારિણી છે, (૨) હે ભગવન્! હું એમ ચિંતન કરું છું કે ભાષા અવધારિણી છે, અહીં ધૂપ શબ્દ પ્રયોગ વાક્યાલંકાર રૂપે છે. સદ મUMામત્તિ:- અથશબ્દપ્રયોગ પ્રજ્ઞાવાચક છે, તેથી આ બે વાક્યાંશ પ્રશ્નાર્થ રૂપે છે. (૩) હે ભગવન્! શું હું એમ માનું કે ભાષા અવધારિણી છે?(૪) શું હું એમ ચિંતન કરું કે ભાષા અવધારિણી છે? અર્થાત્ શું મારી આ માન્યતા નિર્દોષ છે? તદ માણાનીતિ – અહીં તથા શબ્દપ્રયોગ નિર્દેશવાચક છે, ગૌતમસ્વામી પોતાની ભૂતકાલીન અને વર્તમાનકાલીન વિચારધારાની યથાર્થતા અંગે પુનઃ પ્રશ્ન પૂછે કે (૫) પહેલા માનતો હતો, તે જ રીતે હું માનું કે ભાષા અવધારિણી છે? (૬) પહેલા માનતો હતો, તે જ રીતે ચિંતન કરું કે ભાષા અવધારિણી છે? ભગવાન ગૌતમસ્વામીના વિવિધ પ્રકારના ભાવોના ઉત્તર પણ તે જ શબ્દોથી આપે છે. હતા ોય !મUMામત્તિર-અહીં સંતા શબ્દપ્રયોગ પ્રત્યપધારણ અર્થમાં છે અર્થાત્ હે ગૌતમ! તારી માન્યતા બરાબર છે. નિક્રિયાપદ ઉત્તમ પુરુષમાં છે પરંતુ પ્રાકૃતશૈલી અને સૂત્ર રચનાની વિશિષ્ટતાથી