Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અઢારમું પદ : કાયસ્થિતિ
ચરમ-અચરમ :– જેનો ભવ ચરમ અર્થાત્ તમ હોય, તે ચરમ કહેવાય છે, જે ચરમ અર્થાત્ તિમ ભવને કે અંતિમ સ્થિતિને પ્રાપ્ત કરવાના હોય, તેવા મવી જીવોને પણ ચરમ કહે છે. તેની સ્થિતિ ભવી જીવોની અપેક્ષાએ અનાદિ સાંત છે.
જેના ભવનો અને સ્થિતિનો કદાપિ અંત થવાનો નથી. તેને અચરમ કહે છે. અભવી જીવોના અભવીપણાનો કદાપિ અંત થતો નથી તેથી તે અચરમ છે. તેની સ્થિતિ અનાદિ અનંત છે. તે જ રીતે સિદ્ધ જીવોની સિદ્ધ પર્યાયનો પણ કદાપિ અંત થતો નથી, તેથી તેઓ પણ અચરમ કહેવાય છે. તેની સ્થિતિ સાદિ અનંત છે.
ચરમ—અચરમ જીવોની કાયસ્થિતિ ઃ–
જીવ
૧ ચરમ જીવ
૨ અચરમ જીવ
કારણ
સ્થિતિ અનાદિ સાંત ભવી જીવોની અપેક્ષાને મોક્ષમાં જવાના છે તેથી) અનાદિ અનંત | અભવી જીવોની અપેક્ષાએ(ક્યારે ય અંત થતો નથી.) સાદિ અનંત સિદ્ધ ભગવાનની અપેક્ષાએ. (ક્યારે ય અંત થતો નથી.)
॥ અઢારમું પદ સંપૂર્ણ ॥