Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 489
________________ | અઢાર પદઃ કાયસ્થિતિ [ ૪૩૫ ] (૩) ઈન્દ્રિય દ્વાર:|१३ सइंदिए णं भंते ! सइंदिए त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! सइंदिए दुविहे पण्णत्ते, तं जहा- अणाईए वा अपज्जवसिए, अणाईए वा सपज्जवसिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સઇન્દ્રિય (ઇન્દ્રિય સહિત) જીવ સઇન્દ્રિય રૂપે કેટલા કાળ સુધી રહે છે? ઉત્તર- હે ગૌતમ! સઇન્દ્રિય જીવોના બે પ્રકાર છે – (૧) અનાદિ અનંત અને (૨) અનાદિ સાંત. |१४ एगिदिए णं भंते ! एगिदिए त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अणतं कालं; वणस्सइकालो । ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! એકેન્દ્રિય જીવ એકેન્દ્રિયપણે કેટલા કાળ સુધી રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ–વનસ્પતિકાલ સુધી એકેન્દ્રિયપણે રહે છે. | १५ बेइंदिए णं भंते ! बेइंदिए त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं संखेज्जं कालं ।एवं तेइंदिय चठरिदिए वि । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! બેઇન્દ્રિય જીવ બેઈન્દ્રિયપણે કેટલા કાળ સુધી રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ સુધી બેઇન્દ્રિયપણે રહે છે. આ રીતે તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયની કાયસ્થિતિના વિષયમાં પણ જાણવું જોઈએ. |१६ पंचेंदिए णं भंते ! पंचेंदिए त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सागरोवमसहस्सं साइरेगं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પંચેન્દ્રિય કેટલા કાળ સુધી પંચેન્દ્રિયપણે રહે છે? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ એક હજાર સાગરોપમથી કાંઈક અધિક કાલ સુધી પંચેન્દ્રિયપણે રહે છે. | १७ अणिदिए णं भंते ! अणिदिएत्ति पुच्छा ? गोयमा ! सादीए अपज्जवसिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનિક્રિય જીવ કેટલા કાળ સુધી અનિક્રિયપણે રહે છે ? ઉત્તર-હે ગૌતમ! અનિન્દ્રિય સાદિ અનંતકાળ સુધી અનિક્રિયપણે રહે છે. | १८ सइंदिय अपज्जत्तए णं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं वि उक्कोसेण वि अंतोमुहुत्तं। एवं जाव पंचेंदिय अपज्जत्तए।। ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! સઇન્દ્રિય અપર્યાપ્ત કેટલા કાળ સુધી સઇન્દ્રિય અપર્યાપ્તપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી સઇન્દ્રિય અપર્યાપ્તપણે રહે છે. આ જ રીતે એકેન્દ્રિય અપર્યાપ્તથી લઈને પંચેન્દ્રિય અપર્યાપ્ત સુધીના વિષયમાં જાણવું જોઈએ. | १९ सइंदियपज्जत्तए णं भंते ! सइंदियपज्जत्तए त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सागरोवमसयपुहत्तं साइरेगं ।। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સઇન્દ્રિય-પર્યાપ્ત કેટલા કાળ સુધી સઇન્દ્રિય પર્યાપ્તપણે રહે છે?

Loading...

Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580