Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 525
________________ | અઢારમું પદ ક્રાયસ્થિતિ ૪૭૧ | કોઈ જીવ અસંખ્યાતકાલ સુધી મૃત્યુ પામીને નિરંતર જુગતિથી જ જાય તો તે જીવ અસંખ્યાત કાલ સુધી નિરંતર આહારક રહે છે. પતાવતઃ તાતૂર્થ્યમવર્ષે વિદતિ મવતિ | ત્યાર પછી અવશ્ય તે જીવ મૃત્યુ પામીને વક્રગતિએ જ જાય છે. તેથી તે જીવ એક કે બે સમય અનાહારકપણાને પામે છે. આ રીતે આહારકની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાતકાલની છે. તે અસંખ્યાતકાલ, કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ પ્રમાણ અને ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગના આકાશ પ્રદેશ પ્રમાણ અર્થાત્ બાદરકાલ પ્રમાણ આહારક રહે છે. કેવળીઆહારકની કાયસ્થિતિ - કેવળીની સ્થિતિ પ્રમાણે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષની છે. અનાહારક જીવોના પણ બે પ્રકાર છે– છદ્મસ્થ અનાહારક અને કેવળી અનાહારક. છધસ્થ અનાહારકની કાયસ્થિતિ - છદ્મસ્થ જીવ જન્મથી મૃત્યુ પર્યત આહારક જ હોય છે પરંતુ ભવાંતરમાં ગમન કરતા તે બે કે ત્રણ સમયની વિગ્રહગતિએ ઉત્પન્ન થાય ત્યારે એક કે બે સમય અનાહારક હોય છે. તેથી તેની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ એ સમયની છે. શ્રી ભગવતી સુત્રના શ્રેણીશતક અનુસાર જીવ ચાર કે પાંચ સમયની વિગ્રહગતિથી પણ ઉત્પન્ન થાય, તો તે ત્રણ કે ચાર સમય અનાહારક રહે છે પરંતુ તેવા જીવો અત્યંત અલ્પ હોવાથી પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે તેની ગણના કરી નથી. કેવળી અનાહારકના બે પ્રકાર છે– (૧) સિદ્ધકેવળી અનાહારક અને (૨) ભવસ્થ કેવળી અનાહારક. ભવસ્થકેવળી અનાહારકના બે પ્રકાર છે–(૧) સયોગી કેવળી અનાહારક અને (૨) અયોગી કેવળી અનાહારક. સિદ્ધકેવળી અનાહારકની સ્થિતિ – સાદિ અનંતકાલની છે. ભવસ્થ સયોગીકેવળી અનાહારકની સ્થિતિ :- કોઈ કેવળી ભગવાન સયોગી અવસ્થામાં કેવળી સમુદ્દઘાત કરે ત્યારે તે સમુદ્રઘાતના આઠ સમયમાંથી ત્રીજા, ચોથા અને પાંચમાં સમયે અનાહારક હોય કેવળી સમુદ્યાતમાં કેવળી ભગવાનના આત્મપ્રદેશો પ્રથમ સમયે દંડાકારે, બીજા સમયે કપાટાકાર, ત્રીજા સમયે મંથનાકાર અને ચોથા સમયે લોકવ્યાપી થાય છે. પાંચમા સમયે આંતરાઓનું સંહરણ કરે છે, છઠ્ઠા સમયે મંથાન સંહરે છે, સાતમા સમયે કપાટ અને ત્યાર પછી આઠમા સમયે દંડ સંહરીને તેના આત્મપ્રદેશો શરીર પ્રમાણ થઈ જાય છે. કેવળી સમુદ્યાતની આઠ સમયની આ પ્રક્રિયામાં કેવળી ભગવાન પ્રથમ અને આઠમા સમયમાં ઔદારિક કાયયોગી હોય છે, સાતમા, છઠ્ઠા અને બીજા સમયમાં ઔદારિક મિશ્રયોગી અને ત્રીજા, ચોથા, પાંચમા આ ત્રણ સમયમાં કાર્પણ કાયયોગી હોય છે. કાર્પણ કાયયોગીમાં પ્રવર્તમાન જીવ અવશ્ય અનાહારક હોય છે.તેથી સયોગી ભવસ્થ કેવળી અનાહારકની સ્થિતિ જઘન્ય, ઉત્કૃષ્ટ ત્રણ સમયની જ હોય છે. અયોગી ભવસ્થકેવળી અનાહારકની સ્થિતિ :- ચૌદમા ગુણસ્થાને જીવ અયોગી અવસ્થાને પામે છે. ચૌદમા ગુણસ્થાનની સ્થિતિ અનુસાર તેની અનાહારક અવસ્થાની સ્થિતિ પાંચ હ્રસ્વ અક્ષરના ઉચ્ચારણકાલ પ્રમાણ થાય છે. તેના માટે જ સૂત્રમાં જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિ કહી છે.

Loading...

Page Navigation
1 ... 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580