Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ 1
]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
વિસનાતિ – વિધ્વંશ-નાશ પામે છે. અન્ય પુદગલોને વાસિત કરવાની શક્તિનો પૂર્ણ રૂપે નાશ થવો, તરંગિત ન થવું, શબ્દ વર્ગણા રૂપે ન રહેવું. મંદ પ્રયત્નવાન વક્તાના શબ્દો અસંખ્યાત યોજન સુધી જાય, ત્યારે અન્ય પુગલોને વાસિત કરવાની તેની શક્તિ ઘટી જાય અને ત્યાંથી સંખ્યાત યોજન સુધી જઈને તેની તે અન્ય પુગલને વાસિત કરવાની શક્તિ સંપૂર્ણતયા નાશ પામે છે. ભાષા દ્રવ્યના ગ્રહણ-નિઃસરણનું સ્વરૂપ - હાર |
વિગત ૧ દ્રવ્યથી
અનંતપ્રદેશી ઢંધને ગ્રહણ કરે ૨ ક્ષેત્રથી
અસંખ્યાત પ્રદેશાવગાઢ અંધને ગ્રહણ કરે ૩ કાલથી
એક સમયથી અસંખ્યાત સમયની સ્થિતિવાળા સ્કંધને ગ્રહણ કરે ૪ ભાવથી
પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શી (શીત-ઉષ્ણ, સ્નિગ્ધ-રૂક્ષ) એકથી
અનંતગુણ યુક્ત પુદ્ગલ સ્કંધને ગ્રહણ કરે ૫ પૃષ્ટ
આત્મપ્રદેશો સાથે સ્પષ્ટ–સ્પર્શેલા સ્કંધને ગ્રહણ કરે ૬ અવગાઢ
આત્માના એક ક્ષેત્રાવગાઢ પુદ્ગલ સ્કંધને ગ્રહણ કરે ૭ અનંતરાવગાઢ
ભાષક શરીરવયવ સાથે અનંતરાવગાઢ થયેલા પુદ્ગલ સ્કંધને ગ્રહણ કરે ૮ અણુ–બાદર અલ્પપ્રદેશી અણુરૂપ સ્કંધને અને બહુપ્રદેશી બાદર સ્કંધને ગ્રહણ કરે ૯ ઊધ્વદિ દિશા સ્વક્ષેત્રની અપેક્ષાએ આત્માવગાઢ ઊર્ધ્વ, અધો અને તિરછું ગ્રહણ કરે ૧૦ આદિ મધ્ય અંત સમય | અંતર્મુહૂર્તના ગ્રહણ કાલમાં આદિ, મધ્ય અને અંત, સર્વ સમયે ગ્રહણ કરે ૧૧ સ્વવિષય ભૂત પોતાના પ્રયોજન યોગ્ય ભાષા વર્ગણાના પુદ્ગલ સ્કંધને ગ્રહણ કરે ૧૨ આનુપૂર્વી
એક ક્ષેત્રાવગાઢ પુગલોને ક્રમશઃ (અનુક્રમે) ગ્રહણ કરે ૧૩ દિશા
દિશાઓની અપેક્ષા છ એ દિશામાંથી ગ્રહણ કરે ૧૪ સાન્તર-નિરંતર ગ્રહણ બંને પ્રકારે ગ્રહણ કરે–
સાંતર–જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયના અંતરે ગ્રહણ કરે નિરંતર– જઘન્ય બે સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાત સમય સુધી ગ્રહણ કરે પ્રથમ સમયે કેવળ ગ્રહણ, બીજા સમયે પૂર્વે ગ્રહણ કરેલાનું નિઃસરણ અને નવા પુદ્ગલોનું ગ્રહણ, આ રીતે અસંખ્યાત સમય સુધી ગ્રહણ–નિઃસરણ બંને થાય અને
અંતિમ સમયે કેવળ નિસરણ થાય ૧૫ ભિન્ન-અભિન્ન છોડેલા પુદ્ગલો ભેદાયેલા અને અભેદાયેલા, બંને પ્રકારે નીકળે.
તીવ્ર પ્રયત્નવાન-ભિન્ન–ભેદાયેલા પુદ્ગલો છોડે, તે સૂક્ષ્મ અને બહુ હોવાથી અન્ય અનેક દ્રવ્યોને વાસિત કરી લોકત સુધી જાય. મંદ પ્રયત્નવાન- અભિન્ન-નહીં ભેદાયેલા યુગલોને છોડે. તે પુદ્ગલો સંખ્યાત
યોજન સુધી જઈને નાશ પામે છે. ભાષા દ્રવ્ય નિસરણ ભેદ:७० जीवेणं भंते ! जाई दव्वाई भासत्ताए गहियाई णिसिरइ ताई किं भिण्णाई णिसिरइ,