________________
॥ श्रीआचाराङ्ग pવપિI.
વિ.સં. ૧૯૩૬માં એટલે કે આજથી ૧૧૩ વર્ષ પૂર્વે મકસુદાબાદ-અજીમગંજનિવાસી શ્રી રાધનપતસિંહ બહાદુર તરફથી શ્રી રાયધનપતસિંહ બહાદુરના આગમસંગ્રહના પ્રથમ ભાગ તરીકે બાળબોધ-ટાઈપમાં આચારાંગ સૂત્ર અનુક્રમે પાર્વસૂરિકૃત વાર્તિક (બાલાવબોધ), જિનહંસસૂરિ કૃત પ્રદીપિકા અને શીલાંકાચાર્યકૃત વૃત્તિ સાથે પુસ્તકાકારે છપાયેલ.
બાલબોધ ટાઇપ, અલ્પવિરામ-પૂર્ણવિરામાદિ ચિહ્નોનો અભાવ અને અશુદ્ધિની બહુલતાને લીધે આ પ્રકાશન હસ્તપ્રતથી ઉણું ઉતરે તેમ નથી. તે છતાં તે મુદ્રિત હોવાથી તેને હસ્તપ્રતથી અલગ પાડ્યું છે. કોઈ કોઈ સ્થળે આમાંથી વધુ શુધ્ધ પાઠાંતરો મળ્યા છે તેને અમે મુ. સંજ્ઞા આપીને ટીપ્પણમાં લીધા છે. - પ્રદીપિકા શીલાંકાચાર્યની વૃત્તિના આધારે રચાયેલ હોવાથી અમે પણ આનું સંશોધન તથા સંપાદન કરતી વેળાએ શીલાંકાચાર્યની વૃત્તિને સામે રાખેલી. પ્રદીપિકાની અપેક્ષાએ શીલાંકાચાર્યની વૃત્તિ એ બ્રહવૃત્તિ તુલ્ય કહેવાય. શીલાંકાચાર્યની વૃત્તિમાંથી જે પાઠાંતરો મળ્યા છે તેને બુ. સંજ્ઞા આપીને ટીપ્પણમાં લીધા છે, તેમ જ પ્રદીપિકામાં પણ જ્યાં પાઠ પડી ગયો હોય એવું લાગ્યું હોય અને હસ્તપ્રતોમાં પણ એ સ્થળે કોઈ પાઠ ન મળ્યો હોય ત્યાં અમે શીલાંકાચાર્યની વૃત્તિના આધારે પાઠ ઉમેરેલ છે. જે આવા[] કૌસની અંદર લીધેલ છે.
સંપાદન પદ્ધતિ આચારાંગ મૂળસૂત્રનું સંપાદન શ્રી મહાવીર જૈન વિદ્યાલય પ્રકાશિત, દર્શન પ્રભાવક, શ્રુત સ્થવિર, પરમ પૂજ્ય પ્રવર્તક શ્રી
9
૨૦ ||