Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 11
________________ વિમોચન..... એક ગુઢ નીતિશાસ્ત્રનું જીવન જ્યારે અંધાધૂંધીનું પર્યાય બની ગયું છે. મન કુરુક્ષેત્ર બન્યું છે. હૃદય હુલ્લડ અને રમખાણોનું મેદાન બન્યું છે, ને એટલે જ, ‘મેનેજમેન્ટ ચાણક્ય' જેવા પુસ્તકો વિશ્વના બજારમાં ધૂમ મચાવી રહ્યા છે. ડુબતો માણસ તરણું ઝાલે... કાળ બની ગયો છે આ વિકરાળ પ્રશ્ન...Howto Manage? દુનિયા લગભગ અજાણ છે એક મેનેજમેન્ટ -ગુરુથી જેની બુદ્ધિ ચાણકયને પણ ટક્કર મારે એવી હતી જેનું નામ હતું મંત્રીશ્વર અભયકુમાર. પ્રસ્તુત પુસ્તક એ માત્ર એમનું “જીવનચરિત્ર' નથી, પણ એક “ગૂઢ નીતિશાસ્ત્ર” છે, એક ઉત્કૃષ્ટ કક્ષાની “મેનેજમેન્ટ - ગાઈડલાઈન” છે. જીવનના કોઈ પણ જાતના પ્રશ્નો - સમસ્યાઓ-આપત્તિઓ હોય. ફરી ફરી આ પુસ્તક વાંચો, અને આમાંથી ઉકેલ-સમાધાન મળી રહેશે. • ખેંચાયાં ને લાંબા થયા વિના તમારા લક્ષ્યને કેમ આંબવું ? એનો ઉકેલ વીંટી”ની ઘટનામાં છે. દરેક ઘટનાને પોઝિટીવ-એટીટ્યુડથી જોવાની કળા ‘સુલસાશોકની ઘટનામાં છે. અશક્યને શક્ય બનાવવાની એનર્જી અકાલમેઘ’નો પ્રસંગ આપે છે. ‘ગૃહકલહ'ના અપસેટવાતાવરણમાં ‘સેટિંગ’ કઈ રીતે કરવું, એનો ઇશારો ‘શ્રેણિકશંકા'ની ઘટનામાં છે. ઓછા પ્રયાસે વધુ ને સારું પરિણામ શી રીતે મેળવવું, એનો અણસાર ‘એકદંડિયા મહેલ'ની નિર્માણ કથા આપે છે. • રસ્તાના કાંટાને માત્ર દૂર કરવાનો જ નહીં, પણ એ કાંટાને જ ફૂલ બનાવી દેવાનો ઉપાય “આપ્રચોર’ની ઘટનામાં છે. • પારિવારિક પ્રેમ અને ઔચિત્યની પરાકાષ્ઠા “કૌમુદી મહોત્સવ'ની ઘટના દેખાડી આપે છે. ભલભલા બુદ્ધિમાનોને પણ વશ કરવાની કળા ‘રૌહિણેયગ્રહના પ્રસંગમાં છે. તો સીમિત બુદ્ધિ - સાધનાથી અસીમ કાર્યસિદ્ધિનું બીજ ‘આદ્રપ્રતિબોધ'ની ઘટનામાં છે. અભયકુમાર = મેનેજમેન્ટ. પરિવાર જેવા લૌકિક પ્રયોજનોથી માંડીને

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 322