Book Title: Ver ane Badalo Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Gujarat Vidyapith Ahmedabad View full book textPage 8
________________ ‘ન શમે વેર વેરથી” પ્રાચીન કાળમાં કાશી-વારાણસીમાં બ્રહ્મદત્ત નામે રાજા રાજ્ય કરતું હતું. તેનું રાજ્ય વિશાળ હતું, તેની આવક ભારે હતી, તેનું લશ્કર મોટું હતું, અને તેના ભંડાર ભરેલા હતા. તે વખતે કેસલ દેશમાં દિધીતિ નામે રાજા રાજ્ય કરતા હતા. તેનું રાજ્ય નાનું હતું, તેની આવક નજીવી હતી, તેનું લશ્કર થોડું હતું, અને તેના ભંડાર ખાલી હતા. કાશીરાજ બ્રહ્મદત્તે એક વખત કેસલરાજ દીધીતિ ઉપર ચડાઈ કરી. દીધીતિ રાજા પિતાની રાણી સાથે નગર છોડીને જીવ બચાવવા ભાગી ગયે. બ્રહ્મદત્તે કેસલ દેશ કબજે કરી લીધું. થોડા સમય બાદ દીધીતિ રાજા ભિક્ષને વેશે વારાણસીમાં જ આવીને રહ્યા. વખત જતાં તેની રાણીને પુત્ર અવતર્યો. તેનું નામ દીધાવુ (“દીર્ધાયુષી') પાડવામાં આવ્યું. કુમાર મેટે અને સમજણું થયે, એટલે દીધીતિને વિચાર આવ્યું કે, “કાશીરાજ બ્રહ્મદત્ત અમને જોઈ જશે, તે ત્રણેયને ઠાર મારશે. માટે દીઘાવ કુમારને દૂર રાખો ઠીક છે.” આમ વિચારી તેણે કુમારને નગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66