Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 47
________________ વેર અને બદલે જે પાપનું ફળ હજાર વર્ષ નરકમાં રહીને ભેગવવું પડત, તે તું આ લેકમાં થોડામાં જ ભોગવી લે છે.' લોકે તરફથી થતાં અપમાનથી કે ખાવા પડતા મારથી અંગુલિમાલનું ચિત્ત સહેજ પણ ખિન્ન થયું નહિ. ઊલટું તેનું મુખ્ય પ્રાણીઓ પ્રત્યે મિત્રતાના ભાવથી પ્રકાશિત રહેવા લાગ્યું, અને જાણે કાંઈ બનતું ન હોય તેમ ભિક્ષા લેવા જવાનું તેણે ચાલુ રાખ્યું. એક વખત અંગુલિમાલ નગરીમાં ભિક્ષા માગતે ફરતે હતે. તેવામાં તેણે પ્રસવવેદનાથી પીડાતી એક સ્ત્રીને જોઈ. તે સ્ત્રીને બાળક જન્મવાની તૈયારી હતી, પરત કાંઈક કારણથી બાળકનો જન્મ થતો ન હતો. વેદનાથી તે સ્ત્રી પછાડે નાખતી હતી તથા કારમી ચીસે. પાડતી હતી. અંગુલિમાલને તેનું આ દુઃખ જોઈ ઘણી દયા આવી. પણ તે લાચાર હતો. વિહારમાં આવી તેણે એ વાત ભગવાનને કહી. બુદ્ધે તેને કહ્યું : “જા, તું તે સ્ત્રી પાસે જઈને એમ કહે કે, અંગુલિમાલે જન્મથી માંડીને જાણી જોઈને કઈ પ્રાણીની હિંસા કરી નથી. આ વચન જો સાચું હોય, તે તેને તરત સુખ થાઓ.” નવાઈની વાત એ બની કે, એ પ્રમાણે અંગુલિમાલે જઈને કહ્યું તેની સાથે જ તે સ્ત્રીને છુટકારો થશે અને તેને સુખેથી બાળક અવતર્યું ! અંગુલિમાલ એ જોઈ નવાઈ પામતે કહેવા લાગ્યા : અહો! પહેલાં પાપકર્મ કરવા છતાં પછીથી પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66