Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 54
________________ મહાશીલ રાજા ૫૩ છૂટા થયા. પછી તેણે પેાતાના ખીજા સાથીદારને એ પ્રમાણે છૂટા કર્યાં, અને એમ બધા ધીરે ધીરે છૂટા થયા. તે વખતે સવાર થઈ જવા આવ્યું હતું. આ તરફ કાસલરાજ મહાશીલના મહેલમાં રાતે સૂઈ ગયા હતા. તે વખતે મહેલમાં પણ નરી સાદાઈ તથા મહાશીલની જાતમહેનતનાં નિશાન જોઈને તેને વિચાર આવવા લાગ્યા. તેને રાજભંડારમાંથી તે! કશું જ મળ્યું ન હતું. પ્રજાનાં માણસા પાસે પણ જાતમહેનત કરવા માટેનાં એજારા અને સુખે જીવી શકાય તેટલી માલમત્તા જ હતાં. તે જ અરસામાં શિયાળાની નાબૂમ સ્મશાન તરફથી આવતી સાંભળી તેને ભારે પસ્તાવા થવા લાગ્યા. પણ હવે શું થાય ! હવે તા થૈડી વારમાં શિયાળવાં મહાશીલને તથા તેના ભલા સાથીદારોને ફાડી ખાશે ! આખી રાત આવા પસ્તાવાના વિચારોમાં આળોટવા પછી સવારે તે મહેલની અગાશીએ ચડયો, અને અણધારી રીતે જ મશાન તરફ જોવા લાગ્યા. ત્યારે તેણે મહાશીલ અને તેના હજાર સાથીદાર જેવા માણસેાને શાંતિથી સરધસ આકારે નગર તરફ આવતા જોયા. તરત તે એકલેા કશું સાથે લીધા વિના તે તરફ દાઢયો. તેના સેવા તેની પાછળ પાછળ દોડયા. દરવાજા પાસે આવતાં જ કૈાસલરાજ મહાશીલને અને તેના સાથીઓને ઓળખ્યા. તે મહાશીલને પ્રેમથી ભેટી પડચો, અને રાતે શિયાળાના પંજામાંથી તે શી રીતે જીવતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66