Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 65
________________ વેર અને બદલે મહીપાલે કહ્યું: “મારા ઓરમાન ભાઈ સૂર્યકુમારને તું છોડ.” જળવાસીએ કહ્યું: “ભલા આદમી! હું તે તેને ભારે સમજદાર માનતા હતા; પણ તારું આચરણ તે મૂર્ખ જેવું જ છે ! તું તારા સગા ભાઈને મરવા રહેવા દઈ, તારા ઓરમાન ભાઈને શા માટે છોડાવે છે?” મહીપાલે જવાબ આપ્યો – “મારે એ ઓરમાન ના ભાઈ અમારા ઉપરના વહાલથી રાજમહેલનું સુખ છોડી, અમારી પાછળ જંગલમાં આવ્યા છે. વનવાસનાં કષ્ટોને ડર બતાવવા છતાં, તે પાછો ફર્યો નથી. વળી મારી સાવકી માને પણ તે એકને એક દીકરે છે. એટલે બંને માને એક એક દીકરે જીવતો રહે, એ જ ગ્ય કહેવાય.” શાબાશ! શાબાશ!” જળવાસીએ કહ્યું. દેવધર્મી કોણ છે એ તું મેટેથી કહી બતાવે છે એટલું જ નહીં, પણ આચરણમાં પણ તું સાચે દેવધર્મી છે. હું તારા બંને ભાઈઓને જીવતા છોડી દઉં છું. હવે તમે ત્રણે જણ આ રથળે જ રહેજો. હું તમારું રક્ષણ કરીશ. દેવધર્મો એવા તારી સેબતમાં રહેવાની મને ઇચ્છા છે. પછી તમે સૌ જ્યારે તમારા રાજ્યમાં પાછા જાઓ, ત્યારે ઠીક લાગે તે મને પણ સાથે લઈ જજો! ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66