Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 46
________________ અંગુલિમાલ લૂંટારો ૫ દયા નથી, તે અર્થમાં તું અસ્થિર છે; તેથી મારી પેઠે તને પણ સ્થિર થવાનું હું કહું છું. ' આ સાંભળી અંગુલિમાલ બુદ્ધુ તરફ મીટ માંડીને જોવા લાગ્યા. સર્વ પ્રાણીઓ પ્રત્યે દયા વરસાવતી તેમની આંખાની અસર અંગુલિમાલ ઉપર પડી. તેને પાતાનાં ક્રૂર કર્યાં યાદ આવવા લાગ્યાં અને ભારે પસ્તાવેા થવા લાગ્યા. તેણે બુદ્ધ ભગવાનને કહ્યું : ' હે મુનિ, તમારા આ શબ્દ સાંભળીને મને મારાં પાપમેમના પસ્તાવે થાય છે. હું તેમાંથી બચવા ઇચ્છું છું; તમે મને તમારી સાથે રાખીને સુધારા.' એમ કહીને અંગુલિમાલ ખુદ્દ ભગવાનને ચરણે પડી તેમના શિષ્ય બન્યા, અને તેમના ઉપદેશ મુજબ ચાલવા લાગ્યા. અંગુલિમાલ ભિક્ષુ થયાના સમાચાર શ્રાવસ્તી નગરીમાં ફેલાતાં વાર ન લાગી. બુદ્ધે રાજા પાસે અંગુલિમાલના સર્વે અપરાધની ક્ષમા અપાવી, અને તેને વિહારમાં પાતાની પાસે રાખ્યા. હવે અંગુલિમાલ જ્યારે શ્રાવસ્તીમાં ભિક્ષા માગવા જતા, ત્યારે તેના ઉપર પથ્થરના, રાડાંના અને ધૂળને વરસાદ વરસતા. કારણ કે, તેને હાથે કાઈ ને કાઈના સગાવહાલાનું મૃત્યુ થયું જ હતું. એક વખત તે મારથી તેનું માથું ફૂટી ગયું, તેની કંથા ફાટી ગઈ, અને તે લાહી નડતે શરીરે બુદ્ધ પાસે આવ્યેા. બુદ્ધે તેને કહ્યું : ‘ હું બ્રાહ્મણુ, સહન કર. કાઈ તરફ સામેા હાથ ઉપાડવાના વિચાર ન કરીશ. એમ માન કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66