Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ કર વેર અને બદલે રાજાએ કહ્યું, “તારા ખોળામાં સૂતા બાદ મને રવાનું આવ્યું. તેમાં મારા જૂના દુશ્મન રાજાને પુત્ર જાણે મારે વધ કરવા તલવાર ઉગામી મારા ઉપર કૂદી પડ્યો, એમ મેં જોયું. કેસલ દેશના રાજારાણીને તે મેં ક્યારનાં ઠેકાણે પાડી દીધાં છે, પરંતુ તેમને પુત્ર જીવતે છટકી ગયે છે, તેથી અવારનવાર મને આમ ડર લાગ્યા કરે છે. એકાદ વાર તે મારા હાથમાં આવી જાય, તે પછી હું હંમેશને માટે તેની નિરાંત કરી દઉં!' રાજાને મોઢે આ વાત સાંભળી દીઘાયુને વેરને ઊભરે ફરી ચડી આવ્યું. તેણે તરત જ રાજાના કેશ પકડી પિતાની તલવાર ઉગામી, તથા કહ્યું, “હે રાજા, હું જ કેસલરાજને પુત્ર દીધાવું છું. મારાં માતાપિતાનું વેર લેવા તમારી પાસે છૂપે વેશે રહ્યો છું. આજે હવે મારું વેર વસૂલ કરવાનો વખત આવી પહોંચે છે. બ્રહ્મદત્ત આ જોઈ ચુંકી ઊઠ્યો. તે ગભરાઈ જઈ દીઘાવને પગે પડ્યો, તથા પિતાની અત્યાર સુધીની મિત્રતાને ખાતર પણ પિતાને જીવતદાન દેવા માટે કરગરવા લાગે. એક બાજુ પિતાના મનની આવી દીન અવરથા જોઈને તથા બીજી બાજુ પિતાના પિતાના છેલ્લા શબ્દ યાદ લાવીને દીઘાવુએ હાથમાંની તલવાર ફેંકી દીધી. પછી તે બોલ્યો, “હે રાજા, જીવતદાન તે હવે તમારે મને આપવાનું છે. કારણ કે, વેર વાળવાને લાગ જોઈને પહેલાં મેં ત્રણ વાર તમારા ઉપર તલવાર ઉગામી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66