Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 39
________________ વેર અને બદલા અભિમાન અને અહંકાર ઓછાં થાય, તેમનાં શરીર ટાઢ-તડકા વેઠી શકે તેવાં ખડતલ થાય, તથા તેમને વિવિધ પ્રકારના લેાકજીવનની માહિતી મળે. ૩૯ બ્રહ્મકુમાર લાંબી મુસાફરી પૂરી કરીને તક્ષશિલા પહેોંચ્યા; અને ત્યાં એક જાણીતા ગુરુનું ધર પૂછી, તેમને ત્યાં ગયા. ગુરુએ તેને પૂછ્યું : ‘ તું કયાંથી આવે છે ? ' ‘ કાશીથી. ’ તું કાના પુત્ર છે ? કાશીના રાજાને. " • અહીં શા માટે આવ્યા છે? " " 4 વિદ્યા ભણવા. " " વારુ, તું પૈસા આપીને ભણવા માગે છે કે ભણતરના બદલામાં ગુરુને ઘેર કામકાજ કરવાના છે? હું પૈસા આપીને ભણવાના છું, ' એમ કહી તેણે ગુરુ સામે પેલા સિક્કાની ઢગલી કરી. ' જેએ ગુરુને ધેર કામકાજ કરીને ભણતા, તે દિવસે કામ કરે અને રાતે ભણે; પરંતુ જે પૈસા આપીને ભણે, તેઓ ગુરુને ઘેર મેટા દીકરાની પેઠે રહે અને માત્ર ભણે. ગુરુ તેમને અશુભ તિથિ સિવાયની તિથિએએ દિવસે ભણાવે. બ્રહ્મકુમાર એ રીતે રહીને ભણવા લાગ્યા. એક વાર ગુરુ સાથે તે નાહવા ગયા હતા. રસ્તામાં એક ડાસી ફાતરાં કાઢેલા તલ સૂકવવા બેઠી હતી. બ્રહ્મકુમાર તેમાંથી મૂઠી ભરી લઈને ખાતા ખાતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66