Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 42
________________ કડવી શિખામણ આંખો રાતીચોળ કરી, તેમને પગથી માથા સુધી જેતે જે તે પોતાના દરબારીઓને સંબોધીને બે કે, “આણે મારેલી લાકડીઓ હજી મને બરડામાં દુખે છે; આજે તે મરવા માટે જ પિતાની જાતે મારી પાસે આવે છે. પછી તેણે ગુરુ સામે જોઈને કહ્યું: “કેમ ગુરુજી, તમને યાદ આવે છે કે, તલની ત્રણ મૂઠીને કારણે તમે મારા બે હાથ પકડાવી મને ત્રણ લાઠીઓ બરડામાં લગાવી દીધી હતી? | ગુરએ શાંતપણે જવાબ આપ્યો: “સમજુ પુરુષ કેઈની અણસમજને વારવા તેને દંડે મારે, તે તે કંઈ તેના ઉપર વેરને લીધે નહિ, પણ તેને સીધે રસ્તે લાવવા માટે કરે છે, એમ જાણવું જોઈએ. હે મહારાજ, મેં જે તે દિવસે તેમને તે પ્રમાણે સજા કરીને પણ ચેરી કરતાં ન વાર્યા હોત, તે તમે નાનીમાંથી મટી ચેરીઓ કરતા કરતા, ભણી રહેતા પહેલાં જ ત્યાંના રાજાના કેઈ મોટા અપરાધમાં આવીને, ચારલુટારને થતી પ્રાણદંડની સજાના ભોગ બન્યા હેત. અત્યારે તમે જે રાજગાદી ભોગવી રહ્યા છે, તે ખરી રીતે મારી તે દિવસની સોટીને જ પ્રતાપ છે, એમ જાણે.” ગુરુ રાજાને આ પ્રમાણે સમજણ આપી રહ્યા હતા, ત્યારે પાસે ઊભેલા દરબારીઓ પણ રાજાને હાથ જોડીને કહેવા લાગ્યા કે, “મહારાજ, આપના ગુરુજી ખરું કહે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66