Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ પ તકરારના છેડા તકરાર હંમેશાં બંને પક્ષની સંકારણીથી જ આગળ વધે છે. શરૂઆત ભલે એક પક્ષે કરી હાય; પરંતુ સામે પક્ષ તેમાં ન જોડાય, તા તકરાર ઊભી જ ન થાય. તકરાર એક વાર ઊભી થયા પછી બંને પક્ષ તેમાં સામસામાં કારણેા આપ્યા કરે છે, એટલે તે લખાયા કરે છે. જો બેમાંથી એક પક્ષ પણ તે તકરાર ઊભી થવામાં પાતે આપેલા કાળા જોઈ લે અને સમજી જાય, તે તરત તકરારના ઈંડા આવી જાય. બુદ્ધ ભગવાનના સમયની વાત છે. વિશાખા બુદ્ધ ભગવાનની પરમ ભક્ત અને ધનિક શિષ્યા હતી. બુદ્ધ ભગવાનના શિયાને તેના ધરમાં જ્યારે જોઈએ ત્યારે અન્નપાન નિતર મળતાં. એક વખત એક વૃદ્ધ ભિક્ષુ પેાતાની સંભાળ હેઠળના એક જુવાનિયા ભિક્ષુ સાથે વહેલી સવારે વિશાખાને ઘેર ભિક્ષા માગવા ગયા. વિશાખાને ત્યાં કાંજી પીધા બાદ, પેલા જુવાન ભિક્ષુને ત્યાં બેસાડી, વૃદ્ધ ભિક્ષુ બીજાને ઘેર ગયા. તે વખતે વિશાખાના પુત્રની ઢીકરી પેાતાની દાદી વતી ભિક્ષુઓના સત્કારનું કામ સંભાળતી હતી. તે પેલા જુવાન ભક્ષુ માટે વાસણમાં પાણી ગાળતી હતી, · તે Jain Education International ३० For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66