________________
- બાલાવબોધ ૭ ૧૩
થાય છે. આમાંની કથાઓ કથાનકની પરંપરાના અભ્યાસ માટે ઉપયોગી બની રહે તેવી છે. ૧૧૪ પ્રાકૃત ગાથાઓની વ્યાખ્યાને વિસ્તાર કથા અને દષ્ટાંતથી એ સુંદર રીતે કર્યો છે કે જેથી આ બાલાવબોધ ૬૦૦૦ ગ્રંથગ્ર બન્યું છે. શ્રી લા. દ.. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં આની ઘણી હસ્તપ્રત મળે છે. આનું અભ્યાસી સંપાદન પણ આ સંસ્થા દ્વારા પ્રગટ થયું છે. આદિ– શ્રીવીતરાગાય નમઃ
શ્રીનાભેયમમેયશ્રીસહિત મહિત સુરેઃ
પ્રણિપત્ય સત્યભકત્યાડનઃાતિશયશાલિનમ ૧ અંત – ઇતિ શ્રીશીપદેશમાલા–બાલાવબોધઃ સંપૂર્ણ છે. શ્રી ખરતરગચ્છ, શ્રી જિનચંદ્રસૂરિ-વિજયરાયે, વાચક–રત્નમૂર્તિગણિ-શિષ્યણ વાચક-મેરુસુન્દરગણિના શીલપદેશમાલાબાલાવબોધઃ મુગ્ધજનવિબેધાય કૃતઃ | ૫. ષષ્ટિશતક-પ્રકરણ બાલાવબોધઃ
નેમિચંદ્ર ભંડારી નામના ખરતરગચ્છના એક શ્રાવકે ૧૬૦ ગાથાના ષષ્ટિશતક-પ્રકરણની પ્રાકૃતમાં રચના કરી. આ કૃતિની ૧૬૧મી ગાથા પુપિકા જેવી છે. આમાં એમણે સદાચાર, સદ્દગુરુ, શુદ્ધ ધર્મ, મિથ્યાત્વ, ઉસૂત્રભાષણ આદિનું પ્રવાહી વર્ણન કર્યું છે. એ સમયે યતિઓનું પ્રાબલ્ય અને એમનામાં ફેલાયેલો શિથિલાચાર જેઈને ક્યાંક પ્રવર્તમાન પરિસ્થિતિ વિશે અણગમે અને આક્રોશ જોવા મળે છે. પ્રાકૃતમાં રચાયેલા આ ષષ્ટિશતક પર તપાગચ્છાચાર્ય શ્રી સમસુંદરસૂરિ, ખરતરગચ્છની પિપ્પલક શાખાના આચાર્ય જિનસાગરસૂરિ, મેરુસુન્દર ઉપાધ્યાય
૩. શીલપદેશમાલા-બાલાવબંધ, સંપાદક : શ્રી હરિવલ્લભ ભાયાણી, 'રમણીકભાઈ શાહ અને ગીતાબેન–પ્રકાશકઃ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ-૯