________________
બાલાવબેધ ૦ ૧૭ પ્રતિની સ્થિતિ સારી છે. બાલાવબેધના આરંભમાં જ મેસુન્દરસૂરિ કર્તા તરીકે પિતાના નામનો ઉલ્લેખ કરે છે.
આદિ– શ્રી વીતરાગાય નમઃ પ્રણમ્ય શ્રી મહાવીરં નવા ચ મૃતદેવતામ. શ્રી જિનચંદ્રસૂરીણુ પ્રસાદ્યાદેશમ ઉત્તમ. બાલકપ્રતિબોધનાર્થ એ અહે મેરુસુન્દર, ભક્તામર મહાતેત્રમ કરિયે વાર્તયા મુદા.
અંત – અનેક પ્રચવણું પુષ્પ જાણિવા. અનઈ ભક્તિ કરી મઈ. શ્રી માનતુંગસૂરિ રહઈ લક્ષ્મી સયંવર વઈ ૪૪. ઇતિશ્રી ભક્તામર સ્તોત્ર સમાપ્ત શ્રી.
આ બાલાવબંધને રચનાસંવત મળતું નથી. ભક્તામર તેત્ર ઘણું પ્રચલિત હોવાથી આ બાલાવબંધની ઘણી પ્રતિઓ મળે છે. શ્રી લા. દ. સંગ્રહમાં જ આની સાતેક પ્રતિ (ક્રમાંક – ૧૦૨, ૧૭૦૯, ૧૯૭૭/૧, ૨૦૨૨, ૩૯૭૭, ૪૨૯૩, પ૦૯૯) મળે છે. ૯. ભાવારિવારણ-સ્તેવ બાલાવબોધઃ
કેટલીક કૃતિનું નામ એના આરંભ પરથી હોય છે જેમ કે ઉવસગ્ગહરં સ્તુત્ર શ્રી પાર્શ્વનાથનું છે. પણ તે ઉવસગ્ગહરને નામે પ્રસિદ્ધ છે તે જ રીતે મહાવીરની સ્તુતિ કરતું આ સ્તોત્ર એના આદિચરણ પરથી ભાવારિવારણ તેત્ર કહેવાય છે. શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના લા. દ. સંગ્રહની (ક્રમાંક -૪ર૧૫) પ્રતમાં મૂળ સાથે બાલાવબોધ આપવામાં આવ્યું છે.
આદિ– શ્રી વર્ધમાન પ્રણિપત્ય ભકત્યા સૂરીશ્વરશ્રી જિનવલભસ્ય વિનિર્મિતં તેત્રમહં પવિત્ર વ્યાખ્યામિ સુજ્ઞાનકૃત વૃથાયા ૧ તથા હિ
બા-૨