Book Title: Trevis Tirthankar
Author(s): Chimanbhai B Sheth
Publisher: Chimanbhai B Sheth

View full book text
Previous | Next

Page 388
________________ ૩૬૧ દ્વારકાને અગ્નિથી નાશ એક વખત શ્રીકૃષ્ણ નેમિનાથ પ્રભુને પૂછયું, “આ દ્વારકા, મારે અને યાદવોને નાશ શી રીતે થશે ?” પ્રભુ બેલ્યા, “ભાવી પ્રબળ છે તે કોઈનાથી ફેરવાતું નથી આ શોરીપુરની બહાર કોઈ પવિત્ર તાપસ રહે છે. એક વખતે તેણે યમુના દ્વીપમાં જઈ કઈ નીચ કુળની કન્યા સેવી. તેનાથી તેને પાયન નામે એક પુત્ર થય છે. બ્રહ્મચર્ય પાળનાર અને ઈન્દ્રિયનું દમન કરનાર તે દ્વાપાયન ઋષિ યાદના સનેહથી દ્વારિકા સમીપ રહેશે. તેને કઈ વખત શાંબ વગેરે યાદવ કુમાર, મદિરાથી અંધ થઈ મારશે. તેથી ક્રોધાંધ થયેલ તે પાયન, દેવ થઈ, યાદવો સહિત, દ્વારકા ભરમીભૂત કરશે અને તમારા ભાઈ જરાકુમારના હાથે તમારું મૃત્યુ થશે” શ્રીકૃષ્ણ જેવા હજારેના પાલકના મૃત્યુ કલંકથી બચવા જરાકુમારે દ્વારિકા છોડી કોઈ નિર્જન જંગલમાં આશ્રય લીધે અને કૃષ્ણ દ્વારિકામાં ઉદઘોષણા કરી કે દારૂ અને સાધનને ત્યાગ કરે દારૂ પીનાર રાજય ગુનેગાર ગણાશે” લેકેએ દારૂ અને દારૂના સાધને ફેંકી દીધાં. એક વખત સિદ્ધાર્થ નામના સારથીએ બળદેવને કહ્યું “દ્વારકા અને યાદવોને નાશ હું જોઈ શકીશ નહિ, માટે મને દીક્ષા લેવાની રજા આપે.” બળદેવે કહ્યું, “હું તારે વિગ શી રીતે સહન કરીશ? હું તને છોડવાને અશક્ત છું તથાપિ તને રજા આપું છું પણ જે તું તપસ્યા કરીને દેવ થાય તે મને સંકટ સમયે સહાય કરજે” એમ કહી તેને રજા આપી. એટલે સારથીએ દીક્ષા લીધી. અહીં દ્વારકાના લેટેએ જે કુંડમાં મદિરા નાંખી દીધી હતી ત્યાં વિવિધ વૃક્ષના સુગંધી પુષ્પોથી તે ઘણી સ્વાદિષ્ટ થઈ. એક વખત, વિશાખ માસમાં શાંકુમારને કાઈ નેકર ફરતા ફરતે ત્યાં

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434