Book Title: Tapasya ane Nigraha
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ ત્યાર પછી બંને જણની ખરી કસોટી શરૂ થાય છે. પૈફનુશિયસ થાઈને તેની આત્મશુદ્ધિ માટે ઉગ્ર તપસ્યા કરાવવા આલ્બિના માતાના મઠમાં મૂકી આવે છે; પણ અવશે પોતે થાઈનું અને થાઈના સૌંદર્યનું સ્વપ્ન જ સેવ્યા કરે છે. પરિણામે સંગ-સંમોહ-વિભ્રમ આદિ ક્રમે તેનો બુદ્ધિનાશ થાય છે. ત્યારે થાઈ તો આલ્બિના-માતાની સુયોગ્ય દોરવણી હેઠળ, સાચી ઈશભક્તિના જળ વડે પોતાના અંતરનો મેલ ધોઈ કાઢે છે અને ખરેખર પરમકૃપાળુ પરમાત્માની કૃપા અને પ્રકાશ પ્રાપ્ત કરે છે. એ આખો ભાગ આલેખવામાં નવલક્થા-કારે અભુત કલમકુશળતા દાખવી છે. તે જમાનાનો આબેહૂબ દેખાવ રજૂ કરવા માટે તેમણે બીજાં પણ પાત્રોને ખૂબીભેર કામમાં લીધાં છે. આમ તે જમાનાના આચાર-વિચારનું નિરૂપણ કરતી તે કથાને આપણી માતૃભાષામાં દિલચશ્ય રીતે વંચાય એ રીતે ઉતારવામાં સંપાદકશ્રીએ પણ ભારે કુશળતા દાખવી છે. “સત્યાગ્રહપત્રના વિદ્રાન તંત્રી શ્રી. મગનભાઈ દેસાઈના ઝીણવટભર્યા તથા સચોટ સુધારાવધારાનો પણ આ વાર્તાને ખાસ લાભ મળ્યો છે, એની નોંધ લેવી જોઈએ. એ રીતે સુધારેલીવધારેલી આ વાર્તા પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવા શ્રી. મગનભાઈ દેસાઈએ અમને પરવાનગી આપી, તથા એની રજૂઆત રૂપે “પ્રેમભક્તિની સંજીવની” આમુખ લખી આપવાની અમારી વિનંતી સ્વીકારી, એ બદલ અમે એમનાં કણી છીએ. અંતે, નવજીવન ટ્રસ્ટના કાર્યકર્તાઓ તથા કલાકાર શ્રી. રજની વ્યાસનો ઉલ્લેખ કરવો ઘટે. તેમના ઉમળકાભર્યા સહકાર વિના આ પુસ્તક આવા સુરમ્ય સ્વરૂપે પ્રકાશિત કરી શકાયું ન હોત. ગુજરાતી વાચકને માનવ અંતરનાં ગૂઢ માનસિક પરિબળોનો સંઘર્ષ, ઉલ્લાસ અને વિકાસ નિરૂપતું આ સુંદર કથાનક વાંચતાં અપૂર્વ રસબોધ સાથે આત્મતૃપ્તિ થશે, એની અમને ખાતરી છે. તા. ૧૫-૮-૬૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 194