________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમ જાણવું. આ જગત વિચિત્રતાથી ભરેલું છે. આ સર્વ વિચિત્રતા ને નહિ અનુભવતા હોય એવો એક પણ દેહધારી જીવ જેવામાં આવશે નહિ. આ કર્મ–વિચિત્રતા પણ ઈષ્ટ અનિષ્ટ વસ્તુ ઉપર જે રાગ દ્વેષ રૂપ વિષમ પરિણામ ઉત્પન્ન થાય છે તેના ઉપર આધાર રાખે છે. જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી અવિરતિ જાયનહિ. અને જ્યાં સુધી અવિરતિ હોય ત્યાં સુધી કષાયે જતા નથી. અને જ્યાં સુધી કષાય જતા નથી ત્યાં સુધી ગ–નિરોધ થતો નથી. એટલે પ્રથમ મિથ્યાત્વ પછી બીજાઓ આવેલ છે. કર્મના ઉદયમાં ક્યા નિમિત્તે સુખદુઃખની પ્રાપ્તિ થાય છે. તેના નિમિત્ત પાંચ છે તે ખાસ સમજવા જોઈએ. કર્મ ઉદયમાં દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એ પાંચ નિમિત્તો છે. જેવી રીતે કર્મ બંધ થતી વખતે પ્રદેશ, પ્રકૃતિ, સ્થિતિ અને રસ બંધ એ ચાર નિયમો થાય છે, તેવી જ રીતે કર્મ બંધ થતી વખતે બીજા પાંચ નિયમ થાય છે.
૧ કર્મ જે વખતે ફળ બતાવશે તે ફળ બતાવવામાં કઈ વસ્તુ નિમિત્ત થશે ? તેને નિયમ થે તેનું નામ દ્રવ્યને નિયમ. જેમકે અમુક માણસને કર્મને અમુક ભાગ લે. આઠ દિવસ પછી બે દિવસ સુધી ખૂબ જોરથી તાવ આવશે ! પરંતુ મચ્છર કરડવાથી કે લાડુ ખાવાથી કે વધારે કેળા ખાવાથી ? ક્યા નિમિત્તે તાવ આવશે ? તેને નિયમ તે દ્રવ્ય નિમિત્ત કહેવાય. દ્રવ્ય એટલે ધન, પૈસો, લક્ષ્મી, રૂપીયા કે સોનામહોર નહીં, પણ દ્રવ્ય એિટલે લાડુ, કેળા વગેરે વગેરે વસ્તુઓ સમજવી. કેળાં ખાવાથી તાવ આવવાને નિયમ થયો હોય તો તે માણસ કર્મ બંધ થયા પછી આઠમે દિવસે કેળા ખાય ને બે દિવસ સુધી ખૂબ જોરથી
For Private and Personal Use Only