________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ge
ન આવ્યાં હોય, તેમને ઉદયમાં લાવીને તેડી નાખવાનો પ્રયાસ કરવામાં આવે તે જ મળેલા મનુષ્ય ભવની સાર્થકતા કહેવાય. મહાપુરૂષે કર્મની ઉદીરણા કરીને તેને ભેગવી લે છે. અને મોક્ષમાર્ગ નિષ્ઠટક બનાવે છે.
૮મું ઉપશમના કરણ–ગ અને અધ્યવસાયના જે બળને લીધે કર્મો શાંત પડયા રહે, જેમાં ઉંદય ઉદીરણું વગેરે ન હોય તેનું નામ ઉપશમના કરણ. ઉપશમના કરણને લીધે કર્મો ઉપશાંત રહે. અંગારા જલી રહ્યા હોય, તેના ઉપર રાખ નાખીએ તો તે ઠંડા પડી જાય છે. તેના જેવી આ સ્થિતિ છે. આ હાલતમાં કર્મની, ઉદ્વર્તના અપવર્તન તેમજ કર્મનું સંક્રમણ થઈ શકે છે. જે કર્મો ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થઈ ચૂક્યા હોય તેના કરણ ન લાગે. બીજા બધાને લાગે. જેમ એક યંત્રના બધા ભાગો સાથે કામ કરે છે. તેમ બધા કરણે એક સાથે કામ કરે છે. ટૂંકમાં આઠે કરણની વિગત આ રીતે છે.
આત્મા સમયે સમયે કર્મગ્રહણ કરે છે. એટલે બંધનકરણ ચાલુ જ છે. તે વખતે કરેલા કર્મો મજબૂત બનતા હોય છે. મજબૂત–વધારે મજબૂત બનતા હોય છે. એટલે નિધત્તકરણ અને નિકાચના કરણ પણ ચાલુ જ છે. આ જ વખતે કેટલાક કર્મોની સ્થિતિ અને રસમાં ઘટાડો પણ થતો હોય છે. એટલે ઉદ્વર્તના અને અપવર્તન કરણ પણ ચાલુ છે. તે જ વખતે કર્મની સજાતિય પ્રકૃતિઓ પલટાતી હોય છે. એટલે સંક્રમણ કરણ પણ પિતાનું કામ કરતું હોય છે. એ વખતે કર્મનો ઉદય કે ઉદીરણા ચાલુ હોય છે. અને કેટલાક કર્મો શાંત થતા હોય છે. એટલે ઉદીરણુંકરણ અને ઉપશમના કરણ પણ કાર્યશીલ હોય છે. જ્યાં સુધી
For Private and Personal Use Only