Book Title: Sambodhi 1989 Vol 16
Author(s): Ramesh S Betai, Yajneshwar S Shastri
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 175
________________ વિશ્લેષણ કરીને તેના સમાધાન અંગે રાધાકૃષ્ણન પિતાને True Knowledge નામક ગ્રંથમાં કેટલાંક અત્યંત મહત્ત્વપૂર્ણ, વિધાયક અને નકકર સૂચને આપે છે. પ્રવર્તમાન શિક્ષણની કેટલીક મર્યાદાઓ : (૧) આજના શિક્ષિત યુવકના અંતરમાં પ્રવર્તતી દિશાશૂન્યતા (૨) વામણાં માહિતી કેન્દ્રો બની ચૂકેલાં આપણાં વિશ્વવિદ્યાલય (૩) પ્રસાર માટેના યાંત્રિક ઉપકરણોના ઉપયોગ સાથે મનુષ્યને યાંત્રિક બની જવાને ભય (૪) યુવા પેઢીનો મૂળહીનતાને અનુભવ (૫) પ્રવર્તમાન શિક્ષણ પદ્ધતિને એકાંગી અભિગમ (૬) શિક્ષણ ક્ષેત્રે દેખાતી ગેરશિસ્ત તથા આતંક્વાદી વૃત્તિ (૭) સુગ્રથિત વ્યક્તિત્વની સાથેસાથ ઊંચી ગુણવત્તા ધરાવતા દૃષ્ટિસંપન શિક્ષકોની વિરતાતી અછત (૩) સમસ્યાઓનું નિરૂપણ અને રાધાકૃષ્ણનના પ્રતિભાવની પ્રસ્તુતતા : સમસ્યા : ૧ આજના શિક્ષિત યુવકના અંતરમાં પ્રવર્તતી દિશાશૂન્યતા: નિરૂપણ આપણાં વિશ્વવિદ્યાલયોમાંથી ઉત્તીર્ણ થઈને બહાર પડત આજને નવયુવક અંતરમાં ઉઘાડ લઈને આવવાને બદલે એક શૂન્યતા લઈને આવતે જણાય છે. નથી દેખાતું તેનામાં જીવનના ઉદ્દેશ્ય અંગેનું કોઈ ચિંતન કે નથી તેના વર્તનમાં પ્રગટ થતી વિવેકપૂર્ણ દૃષ્ટિ. નથી તેને સાંપડી છવનનાં ગંતવ્ય વિષેની સભાનતા કે નથી તેને સાંપડયું ગંતવ્યપ્રાપ્તિની દિશા અંગેનું કઈ માર્ગદર્શન. પ્રતિભાવ આ સંદર્ભમાં રાધાકૃષ્ણન વિદ્યાથીઓને નહીં પણ આપણી શિક્ષણ પદ્ધતિને જવાબદાર ગણતાં લખે છે : “There is nothing wrong with our students. What is wrong, is the system.” ? આપણી શિક્ષણ પદ્ધતિ કેવળ માહિતીલક્ષી છે, જીવનલક્ષી નથી. પરિણામે વિદ્યાર્થીઓને તે વિષય નિષ્ણાત બનાવી શકે છે, જીવનનિષ્ણાત નહીં. અર્થાત્ જીવન કેવી રીતે જીવવું જોઈએ તે અંગેની કઈ જ દષ્ટિ કે તેને આનુષગિક જીવનમૂલ્ય કેળવવા અંગેના કેઈ જ માર્ગદર્શનની તેમાં ઔપચારિક જોગવાઈ નથી. રાધાકૃષ્ણનના શબ્દોમાં : If you look at our country today, if you have a fair look and a full look at the critical and political scence, you will discover that there is a moral crisis through which we are passing." આ સંદર્ભમાં રાધાકૃષ્ણનું આપણી તમામ વિદ્યાશાખાઓમાં વિદ્યાર્થીઓ માટે મહાકાવ્યોનાં શિક્ષણની હિમાયત કરે છે. તેઓ કહે છે કે, મહાકાવ્યોમાંથી જીવનને જેવાને એક ન જ દૃષ્ટિકોણ, તેને સમજવાની એક નવી જ દિશા સાંપડે છે, કારણ કે મહાકાવ્યોની એ ખૂબી છે, કે તે કઈ પણ

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309