Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah
View full book text
________________
(૩૧) હેને હદ ઉપરાંત ખેંચીને દુર્ગુણ બનાવે છે. આ સિદ્ધાંત દેખીતે જ બેટ અને ધર્મના મૂળ સિદ્ધાંતથી ઉલટ છે. સત્યને હદ જ નથી, તે પછી એને હદપાર ખેંચવું એ શબ્દોને કઈ અર્થ જ થઈ શકે નહિ. શિયળને સગુણ જે ઉત્તમ હેય તે શું બે ચાર સ્ત્રીઓની છુટ રાખવી એ વ્યાજબી ગણાશે ? હા, જે ઘણો જ વ્યભિચારી પુરૂષ હોય એને માટે એટલું પણ ઠીક ગણશે. પણ તેથી શું તદન સ્ત્રીથી દુર રહેનારને સદગુણની હદ બહાર જારે કહી શકાશે ? શું એવી વર્તણુક હસીને પાત્ર ગણાશે? દયા એ સદ્ગુણ જ હોય તો તે સર્વદા અને સર્વથા સદ. ગુણ જ છે. જેટલે અંશે તે ન પળાય તેટલે અંશે સદ્દગુણની ન્યુનતા છે. અને તે ન્યુનતા માટે સંપુરૂષના મનમાં ખેદ રહે છે,
એમ છતાં દલીલની ખાતર ધારે કે, સ્થાનકવાસી જૈન અથવા એમના સાધુએ દયાનો સદગુણ હદ ઉપરાંત ખેંચીને હેને દુર્ગણ બનાવે છે. તે પણ એ ભૂલ સહીસલામત રસ્તે છે. એમની એ ભૂલ નિરપરાધીછે. એથી કોઈને નુકશાન પહોંચતું નથી. એમના સાધુઓ સ્ત્રી અને શ્રી ( દ્રવ્ય ) ને અડકતા નથી એટલે જ ગુણ હેમના નિરપરાધીપણાની સાબીતી માટે બસ છે. એથી તેઓને, કેઇને ઠગવાનું કારણ રહેતું નથી કારણ કે બીજાઓની પેઠે ધર્મ નિમિતે પણ તેઓ દ્રવ્ય એકઠું કરી શકતા નથી અગર તેવો ઉપદેશ પણ કરી શકતા નથી. જેઓ ધર્મ નિમિત્તે પૈસા ઉઘરાવી શકે તે પ્રસંગે હેને સ્વ અર્થે ઉપયોગ પણ કરી શકે અને એમ થતાં કઈ વખતે પડેલી ટેવોને સંતોષવા જોઈતો પૈસે મેળવવા કવચિત જુઠું પણ બેસવું પડે, કવચીત ચોરી પણ કરવી પડે, કપચીત સ્ત્રીઓથી સંબંધ પણ રાખ પડે. પૈસાના સ્પર્શથી ઉત્પન્ન થતા આ સધળા દે સ્થાનકવાસી સાધુધી હજાર ગાઉ દૂર હોય છે અને તેથી તેઓ તદન નિરપરાધી-નિર્દોષ પ્રાણુંઓ છે. એવાજ પુરૂષો નિસ્પૃહી હોઈ. શકે અને એવા જ ખરું કહેવાની, ખરે ઉપદેશ દેવાની, ખરી સલાહ આપવાની હિંમત ધરી શકે. મૂર્ખાઈ અને પાપમાં ડુબી રહેલી દુનિયાથી
એવા જ પુરૂષની સલાહ અને ઉપદેશની જરૂર છે અને એ કારણને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com