Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah
View full book text
________________
ફેલાવી શક્યા નહિ. તે પણ તેઓએ અંધારું ટાળ્યું એ પણ કાંઈ ઓછું ખુશ થવા જેવું નથી.
આ બે વીર પૈકી શ્રીમાન ધર્મસિંહની હકીકતથી પ્રથમ ભોમીઆ થયા પછી શ્રીમાન લવજીની હકીકત જોઈશું.
શ્રીમાન ધર્મસિંહજીનું વૃત્તાંત. કાઠીયાવાડના હાલાર પ્રાંતના નવાનગર અપર નામ જામનગર શહેરના દશા શ્રીમાળી વણિક જિનદાસ નામે શ્રાવકને શીવા નામે પત્નીથી ધર્મ. સિંહ નામે પુણ્યશાલી પુત્ર ઉત્પન્ન થયો. ધર્મસિંહની ૧૫ વર્ષની ઉમર થતાં, તે શહેરના લોકાગચ્છી ઉપાશ્રયમાં લોંકાગચ્છાધિપતિ શ્રી પૂજ્ય શ્રી રસિંહજીના શિષ્ય શ્રી દેવજી મહારાજ પધાર્યા. હેમનું વ્યાખ્યાન સાંભળવા આવનાર મોટી સંખ્યામાં ધર્મસિંહ પણ એક હતો. ઉપદેશની અસર એ થઈ કે તેમને વૈરાગ્ય પૂર જોશથી ફુર્યો. માતાપિતાએ ઘડી વાર વધે લીધા બ દ છેવટે દિક્ષાની પરવાનગી આપી, એટલું જ નહિ પણ પુત્ર સાથે પિતાએ પણ દિક્ષા લીધી. યતિ વર્ગની દિક્ષા લઈ ગુરૂભક્તિ અને શાસ્ત્રાધ્યયનમાં લાગેલા આ તીવ્ર વૈરાગ્યશાળા યતિને યર સૂત્ર, વ્યાકરણ, તર્કશાસ્ત્ર વગેરેનું જાણપણું જલદી જલદી થઈ ગયું. જ્ઞાનની શોધમાં જ લાગેલા અને વિનયવંત પુરૂષપર સરસ્વતી જલદી પ્રસન્ન થાય છે. શ્રી ધર્મસિંહ માટે એવું કહેવાય છે કે તેઓ બન્ને હાથની માફક બને પગમાં કલમ પકડી લખી શક્તા વળી તેઓ અષ્ટાવિધાન કરતા. આવી શકિતઓ થોડાચાં જ હોય છે અને જેઓ એવી શકિત છેરવી શકે છે તેવાની સંખ્યા તે છેક જ થોડી હોય છે.
સત્રના જાણપણામાં આગળ વધવા સાથે હેમના મનમાં આ પણ વિચાર ઉદભવવા લાગ્યો કે તેમાં કહ્યા મુજબ તે અમને કોઈ વર્તતા નથી. માટે જે ટુક માગી ખાવા માટે આ લેખ ન પહેર્યો હોય તે શુદ્ધ મુનિવ્રત પાળવું જ જોઈએ. આ વિચાર હેમણે ગુરૂ શીવજી સમક્ષ નમ્રતાપૂર્વક જાહેર કરતાં જણાવ્યું કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com