Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah
View full book text
________________
(૪૭) આદરી છે– કેટલાકે સંથારા કર્યા છે, એવી એવી તે ઘણી બાબતે હેમાં નેધાયેલી છે, જ્યારે આવા ધર્મ કાર્યોની નેંધ લીધીછે હારે જે મૂર્તિપૂજા એ વખતમાં પ્રચલીત હોત તો શા માટે આવા ઉત્તમ શ્રાવકોના અધિકારમાં એ વિષય ન લખાયે હેત ?
વળી તેઓને પરીવાર, ઘરવખરો વગેરેનું વર્ણન શાસ્ત્રમાં ચાલ્યું છે હાં પણ ફલાણુના ઘરમાં દેહે કે પ્રતિમા હતી એવું વર્ણન કોઈ સ્થળે નથી.
( ૪ ) શાત્રામાં મુનિને પંચમહાવ્રતધારી અને પાંચ આચારના ધરણહાર કહ્યા છે. પંચ આશ્રવના સેવનારને તો કુગુરૂ કહ્યા છે. એટલું જ નહિ પણ ગુર–અસાધુને સાધુ કરી માને તે મિયાત્વ કર્યું છે. ( શ્રી ઠાણુંગજી સત્ર )
(૫) પ્રશ્નવ્યાકરણ નામના જૈન સૂત્રમાં પ્રતિમાના સ્થાપના, પૂજનારા, દેવ તરીકે માની હેને કારણે હિંસાના કરનારાની ગતિ નરકની બ. તાવી છે. શ્રી આચારાંગ સત્રમાં પણ આ બાબત ભાર દઈને જણાવી છે.
આ વગેરે સાદી પણ ખુલ્લી દલીલો સાંભળી સંઘવી તથા હેમની સાથેના માણસે પ્રતિબંધ પામ્યા.
હવે આ લેકો લોંકાસાહને ત્યાં વારંવાર જાય છે એવા ખબર યતિને પહોંચી ગયા. તેથી તેઓ લોકશાહ ઉપર ગુસ્સે થયા અને સધીને કહ્યું કે “ સંધના લેકોને ખરચી માટે હરકત થશે; માટે હવે બીજે ગામ સંધ ચલાવે. ” સંધવીએ જવાબ આપ્યો “ હમણુ વરસાદ ઘણો પડ્યો હોવાથી જીવની ઉત્પત્તિ ઘણું થઈ છે તેમજ કીચડ પણ ઘણે છે. માટે હમણાં ચાલવું ઉચિત નથી. ” યતિએ કહ્યું: “ આવો ધર્મ હમને કોણે શીખવો ? ધર્મના કામમાં જે હિંસા થાય તે ગણાય નહિ, કારણ કે હિંસા કરતાં નફો વધારે છે. ”
સંધવી આ ઉત્તરયો ઘણું દીલગીર થયા. શું આ જેને યતિના મને જવાબ ? કરૂણા રહિત, મહાવત રહિત એવા આ અસંયતીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com