________________
૧૮ પ્રવચન નવનીતઃ ભાગ-૨
લક્ષે ગમ્ય થતો નથી. એ કારણે (એને) ચાર ભાવથી અગમ્ય (અગોચર) કહેવામાં આવ્યો છે. ચાર ભાવથી અગમ્ય. ( છતાં ) ઉપશમભાવમાં, (ક્ષયોપશમભાવમાં ), ક્ષાયિકભાવમાં સમકિત હોય છે. સમજાય છે કાંઈ ?
આહા... હા! આ તો પરમ સત્ય વાત છે, પ્રભુ! એવી વાત, આ કાંઈ પંડિતાઈની ચીજ નથી. આ તો અંતરની વસ્તુ છે!
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
–
6
કહ્યું ને...! એક પ્રશ્ન કર્યો કે: કારણપરમાત્મા છે તો કાર્ય કેમ ન આવ્યું ? પણ કોને ? કીધું: ‘કા૨ણપ૨માત્મા છે' એવી શ્રદ્ધા (જેને ) હોય એને કહેવાય છે ને...! (કા૨ણપ૨માત્મા ) છે તો છે, (જેને એની દૃષ્ટિ નથી) એને તો છે નહીં. દષ્ટિમાં, જ્ઞાનમાં અને પ્રતીતિમાં તો વસ્તુ આ છે' એવું જ્ઞેય તો આવ્યું નથી. ‘દ્રવ્ય એવો કા૨ણપ૨માત્મા છે' એવું જ્ઞેય, જ્ઞાનની પર્યાયમાં આવ્યું નથી, અને જ્ઞાનમાં આવ્યા વિના પ્રતીતિ આવી નથી. તો પ્રતીતિ આવ્યા વિના કા૨ણપ૨માત્મા ’ એને છે, એ આવ્યું ક્યાંથી ?
"
ન્યાય સમજાય છે? આ તો લોજિક (ન્યાય) છે. ભગવાનનો માર્ગ તો ન્યાયમુક્ત છે. ન્યાયમાં ‘ની' ધાતુ છે. ‘ની’ એટલે જ્ઞાનને લઈ જવું. જેવી વસ્તુની સ્થિતિ છે ત્યાં જ્ઞાનને લઈ જવું. એનું નામ ન્યાય છે. આ (જે) વકીલાતના ન્યાય છે એ બધા તો સ૨કા૨ે બાંધેલા છે, એ નહીં. આ તો ભગવાન ત્રિલોકનાથના (ન્યાય ) છે. આહા... હા !
અહીં (કહે છે કે) ‘કારણપરમાત્મા ' કેવો છે? (કે-) “દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મરૂપ ઉપાધિથી જનિત વિભાવગુણપર્યાયો વિનાનો છે.” આહા... હા! એ ત્રિકાળ ભગવાન, જે સમ્યગ્દર્શનનું ધ્યેય, ધ્યાનનું ધ્યેય, સમ્યક્ત્વનો વિષય, આત્મજ્ઞાનની પર્યાયનો વિષય-એ, દ્રવ્યકર્મથી ભિન્ન છે; ભાવકર્મ અર્થાત્ પુણ્ય-પાપ, દયા-દાન આદિથી ભિન્ન છે; અને નોકર્મ ( અર્થાત્ ) શ૨ી૨, વાણી, મન (આદિ) થી (ભિન્ન છે). -એ-રૂપ ઉપાધિથી જનિત (અર્થાત્ નિમિત્ત ) વિભાવગુણપર્યાયોથી રહિત છે. એને અહીં કારણપરમાત્મા, પરમસ્વભાવ, જ્ઞાયકભાવ, ભૃતાર્થભાવ, સમ્યગ્દર્શનનો વિષય કહ્યો છે. અને એના આશ્રયથી સમ્યગ્દર્શન થાય છે; પર્યાયના આશ્રયથી થતું નથી.
વિશેષ કહેશે...
*
*
પ્રવચન તા. ૧-૨-૧૯૭૮
[‘નિયમસાર ’ગાથા-૩૮. પદ્મપ્રભમલધારિદેવની ટીકા. “ ઔયિક આદિ ચાર ભાવાંતરોને અગોચર હોવાથી જે (કા૨ણપ૨માત્મા ) દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ ઉપાધિજનિત વિભાવગુણપર્યાય વિનાનો છે,” અહીં સુધી આપણે આવ્યું છે. હવે કહે છે:
66
તથા અનાદિ-અનંત અમૂર્ત અતીન્દ્રિ સ્વભાવવાળો ” ( છે ).
આહા... હા ! ( શું કહે છે? કેઃ) ભગવાન આત્મા ત્રિકાળી, જે સમ્યગ્દર્શનનો વિષય છે કે જેના આશ્રયથી સમ્યગ્દર્શન થાય છે, એ તો અતીન્દ્રિસ્વભાવવાળો છે. આહા... હા ! (એ તો અનાદિ-અનંત ) અમૂર્ત અતીન્દ્રિસ્વભાવવાળો છે!
હવે, અર્થ વિશેષ કરે છેઃ “શુદ્ધ” છે-શુદ્ધ પવિત્ર પિંડ છે. સહજ-૫૨મપારિણામિકભાવ
*
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
66