________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪ - પ્રવચન નવનીતઃ ભાગ-૨
અહીં, ઔદયિક આદિ ચાર ભાવ કહ્યા. અને બીજે સ્થાને એને ચા૨ વિભાવભાવ પણ કહ્યા છે. ચારેયને વિભાવભાવ કહ્યા છે. આત્મામાં એક વૈભાવિકશક્તિ છે ને...! તો એ વૈભાવિકશક્તિનો અર્થ ‘વિભાવ કરે’ એમ નથી. આત્મામાં જેમ જ્ઞાન છે, આનંદ છે, શાંતિ છે, સ્વચ્છતા છે, પ્રભુતા છે, કર્તા-કર્મ આદિ અનંત શક્તિઓ ધ્રુવ છે, એમ એમાં એક વૈભાવિકશક્તિ પણ છે, જે સિદ્ધમાં પણ છે. પણ વૈભાવિકશક્તિનો અર્થ એવો નથી કે વિભાવ કરે માટે વૈભાવિકશક્તિ. વૈભાવિકશક્તિનો અર્થ એઃ (ધર્મ-અધર્માદિ) ચાર દ્રવ્યોમાં નથી અને જીવ અને પુદ્દગલ (દ્રવ્ય) માં છે, એ અપેક્ષાએ વિશેષભાવરૂપ વિભાવશક્તિ કહેવામાં આવી છે. વિભાવનો અર્થ એવો છે. ત્યાં વિભાવનો અર્થ એવો નથી કે વૈભાવિકશક્તિ છે તો વિકાર કરે છે. (જો વિકાર કરે ) તો વૈભાવિકશક્તિ તો સિદ્ધમાં પણ છે! એનું તો શુદ્ધ પરિણમન છે. વીતરાગ પરિણમન છે. અતીન્દ્રિય આનંદરૂપ પરિણમન છે. આહા... હા ! સમજાય છે કાંઈ ?
થોડું (સમજાય ); પણ પ્રભુ! સત્ય તો આ છે. અરે! લોકોને એકાંત લાગે છે. અહીંથી એમ કહેવામાં આવે છે ને...! કેઃ વ્યવહારથી (નિશ્ચય પ્રાસ) ન થાય. નિમિત્તથી (ઉપાદાનમાં કાર્ય) ન થાય! હમણાં (એક મોટા વિદ્વાને) એ વાત તો કબૂલ કરી છે કે ‘ ક્રમબદ્ધ છે’. પહેલાં ક્રમબદ્ધનો નિષેધ હતો. ૨૧ વર્ષ થયાં. સંવત ૨૦૧૩ની સાલ. સમ્મેદશિખરમાં વર્ણીજી સાથે ચર્ચા થઈ હતી ત્યારે એ બધા પંડિતો બેઠા હતા. (તેઓ ) એમ કહેતા હતા (કે) ‘ક્રમબદ્ધ નથી ’. (પર્યાય ) એક પછી એક, એમ (ક્રમબદ્ધ) જ થાય છે, એમ નથી. એક પછી એક થાય છે, પણ આ પછી આ જ અને આ પછી આ જ (પર્યાય ) હોય, એવું ક્રમબદ્ધ નથી-એમ કહેતા હતા. હવે એમણે કબૂલ કર્યું છે કે, ક્રમબદ્ધ-વસ્તુ વ્યવસ્થિત છે. દરેક દ્રવ્યની પર્યાય જે સમયે, જે ક્ષણે ઉત્પન્ન થવાની લાયકાતથી થાય છે (તે તેનો ) જન્મક્ષણ-ઉત્પત્તિનો કાળ છે, એનું નામ ‘ ક્રમબદ્ધ’ છે. પણ ક્રમબદ્ધનો નિર્ણય કરવાવાળાની દષ્ટિ ક્રમબદ્ધપર્યાય ઉપર નથી.
અમારે તો ૬૨ વર્ષ પહેલાં એ ચર્ચા સંપ્રદાયમાં ઘણી થઈ હતી. (પહેલાં) અમે એમાં (સ્થાનકવાસીમાં ) હતા ને...! સંવત ૧૯૭૦માં દુકાન છોડીને દીક્ષા લીધી. એમાં (સંપ્રદાયમાં ) એમ કહેવાય ને કે ‘દીક્ષા લીધી ’. દીક્ષા તો હતી ક્યાં? એક ગુરુભાઈ હતા. તે તો વારંવાર એમ કહેતા કે ‘ કેવળજ્ઞાનીએ દીઠું તેમ થશે. આપણે શું પુરુષાર્થ કરીએ ? આપણે કાંઈ કરી શકીએ નહીં'. બે વર્ષ તો સાંભળ્યું. પછી ૧૯૭૨ની સાલ. ફાગણ માસ. સુદ તેરશ. મોટી ચર્ચા થઈ. કીધું કેઃ ક્યાંની આ વાત છે? કોની સાથેની આ વાત છે? એવું ક્યાં લખેલું છે? ( તમે કહો છો ) એવું કેવી રીતે છે? કેવળજ્ઞાન જગતમાં છે. એક સમયમાં જ્ઞાનગુણની એક પર્યાયમાં અનંતા કેવળી જણાય છે. એવી પર્યાય જગતમાં છે. એ પર્યાય જગતમાં છે એની સત્તાનો (તમને ) પહેલાં સ્વીકાર છે? ‘કેવળીએ દીઠું હશે (તેમ થશે ’) એ પછી વાત!
‘ કેવળ( જ્ઞાન ) ' શું છે? (કેવળજ્ઞાન) એક સેકંડના અસંખ્યમા ભાગમાં-એક સમયમાં અનંત કેવળીઓને, અનંત સિદ્ધોને, અનંત નિગોદના જીવોને જાણે છે. એમ જાણે છે એ કહેવું પણ વ્યવહાર છે. પણ પોતાની પર્યાયમાં એવી જાણવાની તાકાત છે કે-ત્રણકાળ-ત્રણલોક, એનાથી અનંતગણા હોય તો પણ (તે) જાણી શકે છે. એ ‘પરમાત્મપ્રકાશ ' માં આવે છેઃ વેલનો મંડપ હોય તો વેલ તો મંડપ હોય ત્યાં સુધી જાય છે અને મંડપ ન હોય તો પછી વેલ આમ ઉ૫૨ ૨હે છે. વેલ આવે તો જતી નથી, મંડપ હોય ત્યાં સુધી જાય છે. એમ કેવળજ્ઞાન, મંડપ અર્થાત્
Please inform us of any errors on [email protected]