________________
૪૨૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
ત્યારે મરીચીએ તેને આર્યત ઘર્મ કહી સંભળાવ્યો. તે સાંભળી કપિલે પુછ્યું : શું તમારી પાસે ઘર્મ નથી? ત્યારે મરીચીએ કહ્યું : ઘર્મ તો ત્યાં પણ છે અને અહીં પણ છે. એમ અલ્પ વચન ઉસૂત્રપ્રરૂપણાનું બોલવાથી લગભગ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સંસાર ઉપાર્જન કરી બહુ ભવોમાં ભટક્યો. એમ અલ્પ શિથિલપણાથી ઉત્સુત્રપ્રરૂપણા કરવામાં ભારે ફળ દીર્ઘકાળ સુધી ભોગવીને અંતે ભગવાન મહાવીર થયા. ત્યારે તેમણે પણ પોતાનો આ દુષ્ટ દોષ ઉઘાડો પાડી બીજાને પણ જાગૃતિ આપી. [૩૦ના
(૬) રાજા એક થયો બહુ માંદો, મત્યું રસાયણ ખાશે,
કેરી કદ ખાશો નહિ, નહિ તો તુર્ત મરણ તે સાથે.” દેવા અર્થ :- એકવાર રાજા બહુ માંદો થયો. રસાયણ ખાવાથી તેનો રોગ મટી ગયો. પણ વૈધે રાજાને ફરી એ રોગ થાય નહીં તેના માટે એવી ચરી બતાવી કે તમે કેરી કદી ખાશો નહીં. નહિં તો તમારું તુરંત મરણ થશે. ૩૧ાા.
એવી આકરી કરી બતાવી; રાજા રાજ્ય બઘામાં
આંબાનાં સૌ ઝાડ કપાવે, જાણી સર્વ નકામાં. દેવા. અર્થ - વૈદ્ય એવી આકરી કરી એટલે ચરી બતાવી તેથી રાજાએ રાજ્યમાં રહેલા સર્વ આંબાના ઝાડને પોતાના માટે નકામાં જાણી કપાવી દીધા. ૩રા
ગયો શિકારે જંગલમાં ત્યાં, આંબો સુંદર ભાળી,
“છાયાથી ના ઝેર ચઢે' કહીં ત્યાં જ બપોરી ગાળી. દેવા. અર્થ - રાજા એકવાર શિકારે ગયો. ત્યાં જંગલમાં સુંદર આંબો ભાળી, “એની છાયાથી કંઈ ઝેર ચઢે નહીં.’ એમ કહી તે ઝાડ નીચે જ બપોરનો સમય પસાર કર્યો. ૩૩
વૃક્ષ ઉપરથી સાખ પડી તે, સુંઘી કરમાં ઝાલી,
ખાઈશ નહિ હું કહી, કરીને ચીરીઓ સહુને આલી. દેવા અર્થ - ત્યાં વૃક્ષ ઉપરથી એક સાખ પડેલી કેરી નીચે પડી. તેને સુંઘીને રાજાએ હાથમાં ઝાલી રાખી. પછી “એને હું ખાઈશ નહી” એમ કહી તેની ચીરીઓ કરીને બધાને આપી. /૩૪.
રહ્યો ગોટલો, આ નથ કેરી” ગણ મોંમા જ્યાં મૂક્યો,
મૂછ પામી દેહ તજે તે; શિથિલ મને નૃપ ચૂક્યો. દેવા અર્થ - પછી રાજાને વિચાર આવ્યો કે હવે આ કેરી નથી, આ તો ગોટલો છે. એમ ગણી જ્યાં ગોટલાને મોઢામાં મૂક્યો કે તુર્ત મૂછ પામી રાજાએ દેહ તજી દીધો. એમ મનની શિથિલતાથી રાજા ચૂક્યો. તેમ આપણું મન પણ નિમિત્તાઘીન શિથિલ થઈ જશે. માટે સંપૂર્ણ જાગૃતિ રાખી એવા નિમિત્તોથી દૂર રહેવામાં જ આપણું કલ્યાણ છે. [૩૫
(૭)
એરંડા-ડાળે કરી મંડપ, તરણે તરણે ઢાંકે, ક્ષણે ક્ષણે તરણું ઉમેરે, છેલ્લે તરણે ભાંગે. દેવા