Book Title: Pragnav Bodh Part 02 - Pages From 417 to 623
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 156
________________ ૫ ૫ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - થોડા સમયમાં મુક્તિ મળી જશે. આ શત્રુંજય ગિરીનો અજબ પ્રભાવ છે. તે સાંભળી અંતિમ મુક્તિ મેળવવાનો લહાવો લેવા ઘણા મુનિઓ અનશન વ્રત ધારણ કરી ત્યાં રહ્યા. ૮૪ શશની સાથે રે તારા સમા મુનિ રહેતા પુંડરિક પાસ, સર્વ ર્જીવોને ખમાવી સર્વ તે ધ્યાને કરતા નિવાસ. જાગો. અર્થ - ચંદ્રમાં સાથે તારા રહે તેમ પુંડરિક ગણથર સાથે જે મુનિઓ રહ્યા, તેમણે સર્વ જીવોને ખમાવ્યા, પછી તેઓ ધ્યાનમાં સ્થિત થઈ ગયા. પા. કેવળ પામ્યા રે ચૈત્રની પુનમે ગણઘર આદિ રે સર્વ. આઠે કર્મો ખપાવી તે ગયા મોક્ષે; તેથી સુપર્વ. જાગો અર્થ :- ચૈત્ર સુદ પુનમના દિવસે ગણધર આદિ મુનિઓ કેવળજ્ઞાનને પામી આઠે કર્મોને ખપાવી મોક્ષે પઘાર્યા. તેથી આ ચૈત્ર સુદી પુનમનો સુપર્વ શરૂ થયો. શત્રુંજયનું રે તેથી યથાર્થ છે સિદ્ધાચલ શુંભ નામ, પ્રથમ પ્રભુનું રે પ્રથમ સુતીર્થ એ, સિદ્ધિદાયક ઘામ. જાગો અર્થ :- શત્રુંજયનું તેથી સિદ્ધાચલ શુભ નામ યથાર્થ છે. પ્રથમ તીર્થકર ઋષભ પ્રભુના પ્રથમ અહીં આગમનથી મોક્ષસિદ્ધિને દેવાવાળું આ પ્રથમ સુતીર્થ બન્યું. [૮૭થી. ભરતપતિ ત્યાં રચાવી મંદિરો, સ્થાપે પ્રતિમા અનેક, ગણથર આદિ રે સર્વની, આદિપ્રભુની ય એક. જાગો અર્થ :- ભરતપતિ ભરતેશ્વરે ત્યાં અનેક મંદિરો રચાવી તેમાં અનેક પ્રતિમાઓની સ્થાપના કરી. ગણઘર આદિ સર્વ મોક્ષગામી મુનિવરોની તથા આદિ પ્રભુ શ્રી ઋષભદેવની મુખ્ય મંદિરમાં સ્થાપના કરી. II૮૮ વિહાર કરીને રે અષ્ટાપદે પ્રભુ, જગહિત કરતા જાય, ભરત પઘારે જે તે ગિરિશિખરે, આનંદ અતિશય થાય. જાગો. અર્થ :- પછી ત્યાંથી વિહાર કરી જગતનું હિત કરતા પ્રભુ અષ્ટાપદ પર્વત ઉપર આવી પહોંચ્યા. ભરતેશ્વર પણ તે ગિરિના શિખર ઉપર પથારી પ્રભુના દર્શન કરીને અતિશય આનંદને પામ્યા. I૮૯ વાણી સુણીને રે પ્રભુની નિર્મળી, પ્રશ્ન પૂંછે છે કે રાયઃ આ પરિષદમાં રે કોઈ એવો હશે જે તીર્થકર થાય?' જાગો. અર્થ – પ્રભુની નિર્મળ વાણી સાંભળીને ભરત રાજાએ પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ! આ સમવસરણની બાર પરિષદમાં કોઈ એવો જીવ હશે કે જે તીર્થંકર થશે? ૯૦ગા. દિવ્ય ધ્વનિથી રે પ્રભુ બોલે હવે “તુજ સુત મરીચિ નામ, થશે આ ભરતે રે ત્રિપુષ્ટ નામથી પ્રથમ કેશવ ગુણઘામ. જાગો. અર્થ :- દિવ્ય ધ્વનિથી પ્રભુ હવે બોલ્યા કે તારો પુત્ર મરીચિ આ ભરતક્ષેત્રમાં પ્રથમ ત્રિપુષ્ટ નામથી ગુણધામ એવો કેશવ એટલે વાસુદેવ થશે. II૯૧ાા

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207