________________
(૯૯) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૧
૪૪ ૯
રહો. તથા એ સ્વરૂપનું ધ્યાન મને સંસાર સમુદ્રથી તારનાર થાઓ. ||રા
ક્ષિતિપ્રતિષ્ઠિત નગરી છે, વિદેહ ક્ષેત્રે સારી રે,
સાર્થવાહ ઘનશેઠ ત્યાં, ઘનાય છે વ્યાપારી રે. પ્રભુ અર્થ - જંબુદ્વીપના મહા વિદેહક્ષેત્રમાં આવેલ ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું એક સુંદર નગર છે. ત્યાં ઘનશેઠ સાર્થવાહ નામનો ઘનાઢ્ય વ્યાપારી રહે છે. આ વ્યાપારી શ્રી ઋષભદેવ ભગવાનનો જીવ છે. પૂર્વે જે ભવમાં સમકિત પામ્યા તે આ ભવ છે. અહીંથી શરૂઆત કરી તેરમા ભવે આ ઘનશેઠ સાર્થવાહનો જીવ તીર્થંકર પદને પામશે. સા.
વસંતપુર જવા કરે, જ્યારે તે તૈયારી રે,
ઘર્મઘોષ સૂરિ આવિયા, “ઘર્મ-લાભ” ઉચ્ચારી રે. પ્રભુ અર્થ :- જ્યારે વસંતપુર જવા શ્રી ઘનશેઠ તૈયારી કરે છે ત્યારે શ્રી ઘર્મઘોષ સૂરિએ આવી “ઘર્મલાભ' એમ શબ્દનો ઉચ્ચાર કર્યો. જા
કહે: “અમે પણ આવીશું” શેઠે વાત સ્વીકારી રે,
ઘન કહે: “ઘન્ય અમે અહો! થશો આપ ઉપકારી રે.” પ્રભુ અર્થ - પછી આચાર્ય ઘર્મઘોષ કહે : અમે પણ તમારી સાથે આવીશું. શેઠે આ વાત પ્રેમપૂર્વક સ્વીકારી, અને કહેવા લાગ્યા : અમે આજે ઘન્ય છીએ કે આપ જેવા મહાપુરુષો અને માર્ગમાં પણ ઉપકારી થશો. આપા
સંઘ સમુદ્ર સમો વહે, ઘૂળ જળ સમ ઉછાળે રે,
જળચર સમ નર, પશુ, શકટ; વને ચોમાસું ગાળે રે. પ્રભુ અર્થ :- સમુદ્રમાં જેમ તરંગો ચાલે તેમ સંઘ આગળ ચાલવા લાગ્યો. સમુદ્રમાં જેમ જળ ઉછળે તેમ બળદો, ઊંટો, ઘોડાઓ વગેરેથી ધૂળ આકાશમાં ઉડવા લાગી. તથા જળચર સમાન મનુષ્યો, પશુઓ તથા શકટ એટલે ગાડાઓ વગેરે ચાલતા ચોમાસું આવ્યું. તે વનમાં પડાવ નાખીને પસાર કર્યું. //કા
સૂરિ-સ્મૃતિ થઈ શેઠને, ખેદ કરે : વિચાર્યા રે,
જાતે જઈ સૂરિને નમી, દોષ ખમાઊં નિમંત્ર્યા રે. પ્રભુ અર્થ - એક દિવસ શેઠને ઘર્મઘોષ આચાર્યની સ્મૃતિ થઈ આવી. જેથી ખેદ કરવા લાગ્યા કે અહો હું ભગવંતની સંભાળ લેવાનું તો ભૂલી જ ગયો. હવે જાતે જઈ ભક્તિપૂર્વક પ્રણામ કરી, થયેલ દોષ ખમાવીને ગોચરી માટે પધારવા આમંત્રણ આપ્યું. આશા
ગોચર-કાળે મુનિ ગયા, અન્નાદિ ના દેખે રે,
તાજાં ઘૂ હતું તે દીધું, શેઠે બહુ બહુ હરખે રે. પ્રભુ અર્થ :- ગોચરી કાળે શેઠને ત્યાં મુનિ પધાર્યા. પણ તે સમયે અન્નાદિ વહોરાવવા માટેની વસ્તુઓ હાજર નહોતી. પણ શુદ્ધ તાજુ ઘી જોઈને ઘણા ઘણા હર્ષપૂર્વક ભક્તિસહ આપ્યું. તા.
શેઠ બોધિ-બજ પામિયા, દાન થતાં સુપાત્રે રે, અપૂર્વ ભક્તિ ઉલ્લસી, વળી રોમાંચિત ગાત્રે રે. પ્રભુ