________________
૫ ૦ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- જેમ સરોવરમાં પદ્મિની એટલે કમલિની પોતાના રંગમાં આનંદ માનતી હોય, ત્યારે જો યમરાજાના હાથે કપાઈ જાય અથવા બીજનો ચંદ્રમા જે રેખા સમાન હોય તે જો ઝટ દેખાવ આપી શીધ્ર સંતાઈ જાય તો જોનારના આનંદમાં ભંગ પડે છે. /૧૧૯
ઇન્દ્ર-ઘનુષ્ય સમીરથી જી, એકાએક અલોપ, તેમ શૂન્ય દેવી વિના જી, સભા પામતી ક્ષોભ રે
ભવિજન, ઘન્ય ઘન્ય આ અવતાર. અર્થ :- અથવા આકાશમાં બનેલ સુંદર ઇન્દ્ર ઘનુષ એકાએક સમીર એટલે પવનથી અલોપ થઈ જાય; તેમ નીલંજસા દેવીનું નૃત્ય કરતાં કરતાં જ મૃત્યુ થઈ જવાથી તેના પરમાણુઓ વિખરાઈ ગયા. જેથી દેવી વિના આખી સભા ક્ષોભ પામવા લાગી કે અહો! દેવી ક્યાં ગઈ?
હે ભવિજનો! સર્વ જનોમાં શ્રેષ્ઠ એવા આ ઋષભ પ્રભુના અવતારને ઘન્ય છે, ઘન્ય છે. ||૧૨વા.
(૧૦૦)
શ્રી ઋષભ જિનેશ્વર,
ભાગ-૪
(રાગ : ચોથી દ્રષ્ટિનો : મનમોહન જિનજી મીઠી તાહરી વાણ)
યા
ઋષભ જિનેશ્વર ચિંતવે જી : જગમાં ધ્રુવ ના કોય, નીલકંસા રસ દાખવી જી, ગઈ તેવું સૌ હોય
જીંવ, જોને ક્ષણ ક્ષણ નરભવ અવસર જાય. અર્થ - ઋષભદેવ ભગવાન સભા મધ્યે બેઠા નૃત્ય કરતી નીલંજસાનું મૃત્યુ જોઈ વિચારવા લાગ્યા કે અહો! આ જગતમાં કોઈ ધ્રુવ એટલે શાશ્વત નથી. આ નીલંજસાદેવીનું શરીર નાટકમાં રસ બતાવી નૃત્ય કરતાં કરતાં જ નષ્ટ થઈ ગયું, તેમ સર્વ જીવોના શરીર અવશ્ય નાશ પામવાના છે. માટે હે આત્મા! તું તારા કલ્યાણ તરફ ધ્યાન આપ, કારણ પ્રતિક્ષણે આ માનવદેહનો અમૂલ્ય અવસર હાથમાંથી જઈ રહ્યો છે. તેના
બાર ભાવના : (૧) અનિત્યભાવના દ્વાદશ ભાવો જાગતા જી, પ્રકાશતા જિનરાય -
“ઘન તો મેઘઘનુષ્ય શું છે, જોતજોતામાં જાય. જીંવ, જોને. અર્થ :- ભગવાન ઋષભદેવના અંતરમાં નીલંજસાના નિમિત્તે અનિત્યાદિ બાર ભાવનાઓનું ચિંતન જાગૃત થયું. તેથી પ્રકાશવા લાગ્યા :- આ ઘન તો ઇન્દ્રઘનુષ સમાન ચંચળ છે કે જે જોતજોતામાં ચાલ્યું જાય છે. રા