________________
(૯૯) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૧
૪૫૯
આવી શકે નહીં. માટે તમે પોતાના સ્વામીનું બધું સારું હિત ઇચ્છી આવા વચનો કહ્યાં. ૬૧
સ્વામી સરળ પ્રસન્ન છે, તમે જ તેમની ચક્ષુ રે,
આમ અકાળે ત્યાગનો, દ્યો ઉપદેશ હિતેચ્છુ ૨. પ્રભુ અર્થ - આપણા સ્વામી તો સરળ છે, સદા પ્રસન્ન રહે છે. તમે તેમના ચક્ષુ સમાન છો. માટે તમને કયા ઉપાધ્યાયે ભણાવ્યા કે જેથી અકાળે વજપાત જેવા વચનો કહી સ્વામીને ત્યાગનો ઉપદેશ આપો છો. અને પોતાને હિતેચ્છુ માનો છો. ૬રા
ભોગ નથી તજતા તમે, પર-ઉપદેશે શૂરા રે,
પ્રાસ ભોગ તજતા જનો, મૂર્ખશિરોમણિ પૂરા રે. પ્રભુ અર્થ – તમે ભોગને તજતા નથી અને પરને ઉપદેશ આપવામાં શુરવીર બનો છો. સેવકો પોતાના ભોગને માટે સ્વામીની સેવા કરે છે, તો સ્વામીને ‘તમે ભોગ ભોગવો નહીં” એવું કેમ કહેવાય? જે આ ભવમાં પ્રાપ્ત થયેલ ભોગાને તજી પરલોકના સુખ માટે યત્ન કરે તે પૂરા મૂર્ખ શિરોમણિ છે. I૬૩
અંજલિમાં અમૃત ભર્યું તળું, રેલો તે ચાટે રે,
કોણી સુંઘી ચાટતાં, ઢોળે સૌ એ વાટે રે. પ્રભુ અર્થ – હાથની અંજલિમાં અમૃત ભર્યું હોય તે તજી દઈ, હાથ ઉપર ઊતરેલા રેલાને કોણી સુધી કોઈ ચાટવા જાય તો હાથમાં રહેલા અમૃતને પણ તે ઢોળી દે છે. //૬૪ના
પરલોકે સુખ ઘર્મથી કહે, અસંગત લાગે રે,
જણાય તે પરલોક ના; કોણ પ્રગટ તર્જી માગે રે? પ્રભુ અર્થ – તેમ ઘર્મ કરવાથી પરલોકમાં સુખ મળશે એમ કહેવું તે અસંગત એટલે બંઘબેસતું નથી. કેમકે પરલોકી જનો અહીં દેખાતા નથી. માટે પરલોક નથી. પ્રગટ પ્રાપ્ત થયેલ સુખને તજી પરભવના સુખની કોણ માગણી કરે? I૬૫ના
મહુડાં, ગોળ, જળાદિથી મદ-શક્તિ દેખાતી રે,
તેમ જ પૃથ્વી-જળાદિથી જીવ ઉત્પત્તિ થાતી રે. પ્રભુ અર્થ:- જેમ મહુડાના ફૂલ, ગોળ અને જળ વગેરે પદાર્થોના મિશ્રણથી મદ-શક્તિ ઉત્પન્ન થાય છે. તેમ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ આદિથી જીવની ઉત્પત્તિ થાય છે. ૬૬ાા
શરીરથી ઑવ ના જાદો, શરીર ન પરભવ જાએ રે,
તેથી સુખ સૌ શરીરનાં, ભોગવવાં સમજાએ રે. પ્રભુ અર્થ - શરીરથી જુદો કોઈ જીવ નથી તથા આ શરીર પણ પરભવને જોતું નથી. તેથી આ શરીરવડે ભોગવાતાં વિષયનાં સર્વ સુખ નિઃશંકપણે સમજુએ ભોગવવા. તે મૂકી દઈ પોતાના આત્માને ઠગવો નહીં. II૬ના
શંકા ઘર્મ-અથર્મની વિઘ કરે સુખ-ભોગે રે, નિઃશંક હે! મહારાજ હો! કહું ઉઘાડે છોગે રે. પ્રભુ