________________
(૧૦૦) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૨
૪૮૧
પડી ગયો. તેના સેવકોએ પંખાઓથી પવન નાખી જળથી સિંચન કર્યું, જેથી તે ભાનમાં આવી ઊભો થયો. ।।૯।।
કારણ પૂછે પંડિતા-ખરી કુમાર થાતાં સ્વસ્થ રે; ખરી કહે કુમાર : “અમારી આ-ખરી ચિત્રે વાત સમસ્ત રે. ખરી
અર્થ :— તે વખતે પંડિતાએ કુમારને મૂર્છા આવવાનું કારણ પૂછ્યું. ત્યારે વજાંઘ કહે : આ ચિત્ર જોવાથી મને જાતિસ્મરણજ્ઞાન થયું છે. આ ચિત્રમાં બઘી અમારી જ વાત આલેખેલી છે. ।।૯૮।। ઈશાન સુર-લોકે હતી-ખરી સ્વયંપ્રભા રૂપ-ખાણ રે; ખરી૰ લલિતાંગ સુર હું હતો, ખરી પ્રિયાની ઓળખાણ રે- ખરી
અર્થ :પૂર્વભવમાં ઈશાન દેવલોકમાં રૂપની ખાણ સમાન આ સ્વયંપ્રભા હતી. તે મારી દેવી હતી. હું લલિતાંગ નામે દેવ હતો. પછી પ્રિયાની ઓળખાણ કરાવવા ચિત્રમાં આલેખેલી બધી હકીકત એક પછી એક તે સ્પષ્ટપણે કહી ગયો. ।।૯।
મૂર્છા-કારણ જાણ તું; ખરી મળે મને એ કેમ ?' ખરી કહે પંડિતા, “સત્ય છે-ખરી વાત કહો છો તેમ રે. ખરી
અર્થ :– આ જ મારી મૂર્છાનું કારણ હતું. એ
જે વાત કહો છો તે બધી સત્ય છે. ।।૧૦૦ા
મને કેવી રીતે મળી શકે? ત્યારે પંડિતાએ કહ્યું તમે
ચક્રવર્તીની પુર્તી તે-ખરી॰ ઘરે આપ પર પ્રેમ રે; ખરી વજ્રસેનને આ બીના ખરી૰ કહીંશ બની છે, તેમ રે.” ખરી
અર્થ :— આ ભવમાં તે સ્વયંપ્રભા આ ચક્રવર્તીની શ્રીમતી નામે પુત્રી થયેલ છે. જે આપ ઉપર અત્યંત પ્રેમ ધરાવે છે. ચક્રવર્તી વજ્રસેનને હું આ બનેલી બધી બીના કહી જણાવીશ. ।।૧૦૧।।
ચક્રવર્તી સુણી હર્ષથી ખરી॰ તેડે તે કુમાર રે- ખરી શ્રીમી-કન્યા-દાન દે-ખરી કરી મહોત્સવ સાર રે. ખરી
અર્થ :— ચક્રવતી વજ્રસેન પંડિતા પાસે બધો વૃત્તાંત જાણી હર્ષ પામ્યા. અને શીઘ્ર વજંઘ કુમારને તેડાવી કહ્યું : મારી પુત્રી શ્રીમતી પૂર્વજન્મની પેઠે આ ભવમાં પણ તમારી ગૃહિણી થાઓ. વજજંઘે તે વાત સ્વીકારી. જેથી મોટો મહોત્સવ કરી ચક્રવર્તીએ વજંઘને પોતાની પુત્રી શ્રીમતીનું કન્યાદાન આપ્યું. ૧૦૨।
ચંદ્ર, ચાંદની રૂપ તે-ખરી૰ વરકન્યાનો યોગ રે; ખરી લોહાર્ગલ પુર તે ગયાં; ખરી ત્યાં યોગાનુયોગ રે-ખરી
અર્થ તે બન્ને વરકન્યાનો યોગ ચંદ્ર અને ચાંદનીરૂપે થયો. ત્યાંથી ચક્રવર્તીની આજ્ઞા લઈ વજ્રજંઘ પોતાના લોહાર્ગલ નગરે ગયો. ત્યાં યોગાનુયોગ એક બીના બની. ।।૧૦૩/ સુવર્ણજંઘ નૃપાળને-ખરી વાદળથી વૈરાગ્ય રે-ખરી ઊપજ્યો, તેથી પુત્રને-ખરી નૃપપદ દે, લે ત્યાગ રે. ખરી