________________
૪૯૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - પાંચ ઇન્દ્રિયના વિષયસુખ તે ખરેખર દુઃખ છે; માયાવી મંડપ સમાન છે. જે ઉપરથી રમણીય દેખાવ આપી જીવને લલચાવે પણ અંદરથી ખાલી ખોખું છે. તેમ શરીર પણ ઉપરથી રમણીય દેખાવ આપી મનને મોહ કરાવી જીવને સંસારરૂપી કૂવામાં પાડે છે. જ્યારે અંદર તો મળમૂત્રની જ ખાણ છે. |૭૮ાા
અસ્થિ-માળો બાંઘિયો જી, સ્નાય્-૨જ્જા બંઘ,
માંસાદિકથી લીંપિયો જી, કૃમિ વસે અનંત રે. ભવિજન અર્થ :- આ શરીરરૂપી ઘરમાં અસ્થિ એટલે હાડકારૂપી માળો બાંધેલો છે. તે સ્નાયુરૂપી રજુ એટલે દોરીથી બંધાયેલ છે. તે ઉપર માંસાદિક ઘાતુનું લીંપણ કરેલું છે. જેમાં અનંત કમિઓ વાસ કરીને રહેલા છે. I૭૯ાા
મઢી ચામડી રોમથી જી, અંદર ગંઘ ખચીત,
મળમૂત્રે ભરપૂર છેજી, નવે દ્વાર કુત્સિત રે. ભવિજન અર્થ - શરીરના માંસ ઉપર રોમરાજીથી યુક્ત ચામડી મઢેલી છે. અને તે શરીર અંદરથી ખચીત એટલે નક્કી દુર્ગઘમય મળમૂત્રથી ભરપૂર છે. તે શરીરના નવે ધારથી કુત્સિત એટલે મલિન વસ્તુ જ બહાર નીકળ્યા કરે છે એ તેનું પ્રમાણ છે. I૮૦ના
નિદ્રા-મદિરા ટેવથી જી, રાત્રે મૃતક સમાન,
ઊઠી અન્ન-ઘનાદિની જી, ચિંતા-ચાનું પાન રે. ભવિજન અર્થ :- નિદ્રારૂપી દારૂની ટેવથી રાત્રે તે મડદા સમાન બની જાય છે. સવારમાં ઊઠી અન્ન થનાદિ વસ્તુઓ મેળવવા માટે ચિંતારૂપી ચાનું પાન કરે છે. ૮૧ાા.
વ્યાધિનું ઘર જાણવું જી, વાત પિત્ત કફ માત્ર,
યંત્ર સમું અટકી પડે જી; સુંદર સ્ત્રીનું ગાત્ર રે-ભવિજન અર્થ :- આ શરીરને વ્યાધિનું ઘર જાણવું. “રોગ જરાને નિવાસનું ઘામ જાણવું. તેમાં વાત પિત્તને કફ માત્ર ભરેલા છે. જેમ યંત્ર ચાલતું બંઘ થઈ જાય તેમ સુંદર સ્ત્રીનું માત્ર એટલે શરીર પણ કામ કરતાં બંઘ પડી જાય અર્થાત તેનું મૃત્યુ થઈ જાય. રા.
સેવ્યાથી સુખ ના લહે જી, જ્ઞાની જન ગુણવંત,
પરંપરાએ દુઃખની જી, વૃદ્ધિ જીવ લહંત રે. ભવિજન અર્થ - આવા શરીરના સેવનમાં ગુણવંત એવા જ્ઞાની પુરુષો સુખ માનતા નથી. કેમકે પરંપરાએ શરીર ઉપરના રાગથી જીવ દુઃખની વૃદ્ધિને જ પામે છે. ૮૩ાા.
પરાશીન, બાઘા ઘણી જી, બંઘન-હેતુ, અનિત્ય,
વિષમ સુખ ઇન્દ્રિયનાં જી, દુઃખ-દાવાનલ સત્ય રે.”ભવિજન અર્થ :- ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું સુખ તે પરાધીન છે. તેમાં ઘણા વિપ્ન આવે છે, કાં શરીર રોગી થઈ જાય, કાં ઉપભોગની સામગ્રી ન મળે. તેને ભોગવતાં રાગ વૃદ્ધિ પામવાથી તે નવીન કર્મબંઘનું કારણ થાય છે. તે સુખ ક્ષણિક છે, નાશવંત છે. વિષમ પરિણામ કરાવનાર છે. એક સરખું રહેતું નથી. માટે