________________
૪૦
પશાવબોધ મોક્ષમાળા
છે કે-અરે! ઇંદ્રિયોદ્વારા મારા સ્વરૂપથી ચુત થઈ, હું વિષયોમાં “પતિત થયો હતો! તે વિષયોને પામીને હું પોતે પોતાને ભૂલી ગયો! આનાથી તે બીજું મોટું અંધેર કયું? “આપ આપકું ભૂલ ગયા, ઈનસે ક્યા અંધેર?' આમ જેને પોતાના પૂર્વ અજ્ઞાનજન્ય દુશ્લેષ્ટિતનો તીવ્ર પશ્ચાત્તાપ થયો છે, એવો વિચક્ષણ અંતરાત્મા અંતર્મુખ અવલોકન કરતાં દઢ સંવેગ રંગથી ભાવે છે કે-આ હારી આગલી ભૂલ સ્મૃતિમાં આવતાં હવે મને હસવું આવે છે કે શી મારી મૂર્ખતા! હવે ફરીને હું નહિ જ ભૂલું. ‘સુમર સુમર અબ હસત હે, નહિ ભૂલેંગે ફેર'.
આમ પરભાવને વિષે જેની અાંત્વ-મમત્વ બુદ્ધિ નિવૃત્ત થઈ છે એવો અંતરાત્મા, તેના નિમિત્તે ઉપજતા રાગદ્વેષને ત્યજી સમત્વ ભજે છે, અને પોતાના આત્માને ઉદ્ધોધન કરે છે કે- 'હે જીવ!* તું ભ્રમા મા! તને સત્ય કહું છું. અંતરમાં સુખ છે; વ્હાર શોધવાથી મળશે નહીં અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર. આશ્ચર્ય ભૂલ. સમશ્રેણી રહેવી બહુ દુલ્લભ છે. નિમિત્તાધીન વૃતિ ફરી ફરી ચલિત થઈ જશે. ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ.' અને આમ અપૂર્વ આત્મપુરુષાર્થ ખુરાવી સમણીએ ચઢતો અંતરાત્મા કર્મોનો ક્ષય કરતો રહી, ઉત્તરોત્તર ગુણસ્થાનશ્રેણીએ ચઢતો જાય છે ને પરમાત્મભાવની નિર્દો આવતો જાય છે. (દોહરા) પરભાવે રમે ન વિરમે, વિભાવથી બહિરાત્મ;
પરભાવે ન રમે વિરમે, વિભાવથી અંતરાત્મ.
* શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૬