________________
શ્રીમદ્ રાજચંદ્ર એક મહાવિભૂતિ-ભાગ ૧
૨૬૫
ગુણસ્થાનના અંત પયંત જિનભાવના ભાવત રહી હું તેનું અવલંબન છોડીશ નહિ.
આમ જિનભાવનામય ભક્તિને સર્વ શાસ્ત્રકારોએ એકી અવાજે વખાણી છે. ભક્તિ એ મુક્તિનો ભવ્ય રાજમાર્ગ છે. “જિનપતિભક્તિ મુકિતનો મારગ, અનુપમ શિવસુખકંદો રે,” એમ ભક્તરાજ દેવચંદ્રજી કહે છે. શાસ્ત્રસમુદ્રનું અવગાહન કરતાં મને આ સાર મળ્યો છે, કે ભગવદ્રની ભક્તિ એ જ પરમાનંદસંપદાઓનું બીજ છે,” એમ સર્વ શાસ્ત્રપારંગત શ્રી યશોવિજયજીનું સુભાષિત વદે છે. “જિનમેં ભાવ વિના કબૂ નહિ છૂટત દુ:ખદાવ,’ એમ પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીનું અનુભવવચન ભાખે છે. (દોહરા) જિનસ્વરૂપ આદર્શમાં, દેખી નિજ સ્વરૂપ;
શિલ્પી જ્યમ સાધક સદા, સાધે જિન સ્વરૂપ.
शिक्षापाठ ९८ : श्रीमद् राजचंद्र
ओक महाविभूति } भाग १ રાજ-ચંદ્ર ઉગ્યો દિવ્ય, ભારત ગગનાંગણે;
જ્યોતિ વિસ્તારતો સૌમ્ય, અખિલ વિશ્વમંડલે. આત્મભાવના અને જિનભાવનાનું અનન્યભાવન જેણે જીવનમાં કર્યું હતું, તે પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીના* જીવનનું અન્ને દિગ્ગદર્શન કરશું. મહાત્મા ગાંધીજી જેવા પર પણ જે સાધુચરિત સપુરુષના ઉદાત્ત સચ્ચારિત્રનો ઘેરો પ્રભાવ પડયો હતો, એવા આ એક ભારતઅવનિને પાવન કરી ગયેલા અલૌકિક * આ ગ્રંથના ચરિત્રો સિવાયના પાઠોની નામાવલીની અદભુત સંકલના શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રદર્શિત કરેલી છે. એટલે તેઓશ્રી જ આ ગ્રંથના પ્રેરણામૂર્તિ હોવાથી, આ ઉપકારની કૃતજ્ઞતાપૂર્ણ સ્મૃતિમાં તેમના સચ્ચરિત્રનું સંકીર્તન અત્રે સમુચિત જ છે.