________________
હિતાર્થી પ્રો-ભાગ ૧
૨૭૭
પ્રશ્ન : આત્માનું લક્ષણ શું? ઉત્તર : ચેતના અથવા ઉપયોગ એ આત્માનું લક્ષણ છે; અને તે | દર્શનોપયોગ ને જ્ઞાનોપયોગ એમ બે પ્રકારનો છે. પ્રશ્ન : દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગનું સ્વરૂપ શું? ઉત્તર : પ્રત્યેક વસ્તુ સામાન્ય-વિશેષાત્મક છે. તેમાં સામાન્ય ભાવને
ગ્રહે તે દર્શનોપયોગ અને વિશેષ ભાવને ગ્રહે તે જ્ઞાનોપયોગ. પ્રશ્ન : તેના ભેદ કયા? ઉત્તર : મતિઆદિ પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન એમ જ્ઞાનોપયોગના
આઠ ભેદ; અને ચક્ષુ, અચકું, અવધિ અને કેવલ એમ
દર્શનોપયોગના ચાર ભેદ. પ્રશ્ન : જીવનું સ્વતત્ત્વ શું? ઉત્તર : ઔપથમિક, સાયિક, સાયોપથમિક ઔદયિક અને પરિણામિક
એ પાંચ ભાવ જીવનું સ્વતત્ત્વ છે, અર્થાત્ બીજી કોઈ પણ
વસ્તુમાં નથી એવું જીવનું પોતાનું ખાસ વિશિષ્ટ તત્ત્વ છે. પ્રશ્ન : ઔપથમિકાદિ ભાવનો અર્થ શું? ઉત્તર : કર્મના ઉપશમથી ઉપજતો ભાવ તે ઔપથમિક. કર્મના ક્ષયથી
ઉપજતો તે ક્ષાયિક. કર્મના ક્ષય અને ઉપશમથી ઉપજતો ભાવ તે ક્ષાયોપથમિક. કર્મના ઉદયથી ઉપજતો તે ઔદયિક. કર્મથી નિરપેક્ષ એવું જે જીવનું સ્વત:સિદ્ધ પરિણામ તે પારિમાણિક
ભાવ. પ્રશ્ન : ઔપથમિક ભાવ કયા? ઉત્તર : સમત્વ અને ચારિત્ર એ બે. પશન : ક્ષાયિક ભાવ કયા? ઉત્તર : જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય અને
સમ્યકત્વ, ચારિત્ર-એમ નવ. પ્રશ્ન : માયોપથમિક ભાવ કયા? ઉત્તર : જ્ઞાન ૪, અજ્ઞાન ૩, દર્શન ૩, દાનાદિ લબ્ધિ ૫, સમ્યકત્વ,
ચારિત્ર સંયમસંયમ-એમ અઢાર