Book Title: Pragnav Bodh Mokshmala
Author(s): Bhagwandas Mansukh Mehta
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 303
________________ ૨૮૨ પ્રશાવબોધ મોક્ષમાળા જ્ઞાન-ચારિત્રરૂપ જિનના મૂળમાર્ગથી મોહકર્મનો નાશ કરી આત્મધર્મના પ્રકાશ વડે જીવ મોક્ષરૂપ નિજ સાધ્યની સિદ્ધિ પ્રશન : સાધ્ય સાધન ને સિદ્ધિ તે શું? ઉત્તર : શુદ્ધ આત્મસ્વરૂપ તે સાધ્ય, સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્ર તે સાધન અને શુદ્ધ આત્મસિદ્ધિ તે સિદ્ધિ. સાધ્યને લક્ષ્યમાં રાખી, સાધન સેવે તો સિદ્ધિ પામે. પ્રશ્ન : સાધ્યઆદિ ન ચૂકાય તે માટે શું કરવું જોઈએ? ઉત્તર : યોગાવંચક, કિયાવંચક અને ફલાવંચકની પ્રાપ્તિ કરવી જોઈએ. લક્ષ્ય નિશાનને તાકી બાણ છોડે તો નિશાન વિંધાય, તેની જેમ, લક્ષ્યને ચૂકે નહિ-વંચક થાય નહિ એવા યોગ-કિયા-ફલ સાધવા જોઇએ. પ્રશન : એ ત્રણ અવંચકનું સ્વરૂપ શું? ઉત્તર : આત્મસ્વરૂપ સત્ સાધ્યના લક્ષ્યનો યોગ ન ચૂકવો તે યોગાવંચક; તે સાધ્યને અનુલક્ષીને સત્ સાધન સેવવાં તે કિયાવંચક; અને તે સસાધનથી જે આત્મસ્વરૂપની સિદ્ધિરૂપ ફળપ્રાપ્તિ થવી તે ફલાવંચક. અથવા સ્વરૂપને ઓળખવું તે યોગાવંચક, સ્વરૂપને સાધવું તે ક્રિયાવંચક, સ્વરૂપને પામવું તે ફલાવંચક. પ્રશ્ન : આ ત્રણ અવંચકની પ્રાપ્તિ કેમ થાય? ઉત્તર : સાચા સદ્ગુરુના યોગે દ્રવ્ય યોગાવંચક આદિની પ્રાપ્તિથી. અર્થાત્ સત્પુરુષનું સપુરુષસ્વરૂપે ઓળખાણ તે યોગાવંચક, તેવી ઓળખાણ થયે તે સસ્પેરુષ પ્રત્યે વંદનાદિ ક્રિયા તે ક્રિયાવંચક, અને તે વંદનાદિનું એક મોક્ષપ્રત્યયી સાનુબંધ ફળ મળે તે ફલાવંચક. મૂર્તિમાનું આત્મસ્વરૂપ સદ્ગુરુના યોગે પ્રાપ્ત થતા આ ત્રણે દ્રવ્ય અવંચક જીવને આત્મસ્વરૂપનો અદ્ભુત લક્ષ કરાવી ઉપરોક્ત ભાવ અવંચકની પ્રાપ્તિમાં પરમ ઉપકારી કારણ થઈ પડે છે.

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312