________________
૨૮૬
અધ્યાત્મક્રિયાયુક્તપણે
તથારૂપ ઉપાસના તે જ્ઞાનયોગ.
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
જ્ઞાનની–અનુભવયોગની
પ્રશ્ન : આ ત્રણ યોગનો સંબંધ શો? ભેદ શો?
ઉત્તર : આ ત્રણે વાસ્તવિક રીતે વિરુદ્ધ નથી કે વિભિન્ન નથી, પણ એક જ યોગના ત્રણ પાસા (Facets) છે, અને પરસ્પર ગાઢ સંબદ્ધ હોઈ એક બીજાના કેવા પૂરક અને સમર્થક છે તે તેની ઉપરોક્ત વ્યાખ્યા પરથી સમજી શકાય છે.
(દોહરા) આત્મદર્શનના અંગ સૌ, દર્શનને દેખંત; અનેકાંત સમ્યગ્દષ્ટ ના, દર્શનવાદ વદંત આત્મધર્મ યુંજન કરે, યોગમાર્ગ તે એક; ભક્તિ કર્મ ને જ્ઞાનની, યોગ એકતા છે.
शिक्षापाठ १०५ : हितार्थी प्रश्नो } भाग ५
પ્રશ્ન : આ મોક્ષમાર્ગરૂપ યોગમાર્ગના અધિકારી કોણ ? ઉત્તર : સાચા મુમુક્ષુ આત્માર્થી જોગીજન એ જ તેના અધિકારી, ભવાભિનંદી જીવો અધિકારી નહિ.
પ્રશ્ન : ભવાભિનંદીનું લક્ષણ શું?
...ઉત્તર : સંસાર ભલો છે, રૂડો છે, એમ સંસારથી રાચનારા, ભવને અભિનંદનારા વિષયાસક્ત જીવો તે ભવાભિનંદી. ક્ષુદ્ર, લોભી, દીન, મત્સરી, ભયવાન, શઠ, અજ્ઞ એવો ભવાભિનંદી જીવ નિષ્ફલારંભી હોય; અને તે માનાર્થનો-લોકેષણાનો ભૂખ્યો હોઈ ‘લોકપંક્તિ ”માં બેસનારો હોય, અર્થાત્ તે ધર્મક્રિયા પણ લોકારાધન હેતુએ, લોકને રીઝવવા ખાતર મિલન અંતરાત્માથી કરે.
પ્રશ્ન: ભવાભિનંદીને અનધિકારી કહેવાનું કારણ શું
ઉત્તર : ભવાભિનંદી યોગ સેવવાની ચેષ્ટા કરવા જાય, તો પણ તેને વિષમિશ્રિત અન્નની જેમ વિપરીતપણે પરિણમે. કારણકે તેની