Book Title: Pragnav Bodh Mokshmala
Author(s): Bhagwandas Mansukh Mehta
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 287
________________ પ્રશાવબોધ મોક્ષમાળા સંતશિરોમણિના જીવન પ્રત્યે માત્ર ઊડતો દષ્ટિપાત કરવા જેટલો જ અત્રે અવકાશ છે. “નિર્મલ ગુણમણિરોહણ ભૂધરા, મુનિજન માનસ હંસ; ધન્ય તે નગરી રે ધન્ય વેળા ઘડી, માત પિતા કુલ વંશ.” . સંતભૂમિ સૌરાષ્ટ્રના એક ખૂણે આવેલું નાનકડું ગામડું વવાણીઆ, તે આ જંગમ કલ્પવૃક્ષ સમા સંતના જન્મથી પાવન પુણ્યધામ બન્યું! દેવબાઈના પુત્ર “મહાદિવ્યાકુરિત્ન” અને રવજીભાઈના કુલદીપક “શબ્દજિતુવરાત્મજ' આ “દેવજીન' રવજી પંચાણની એકોતેર પેઢીને તારી દીધી. સં. ૧૯૨૪ ના કાર્તિક પૂર્ણિમાના ધન્ય દિને ભારતના ગગનાંગણમાં ઊગેલો આ ભારતનો જ્યોતિર્ધર રાજ-ચંદ્ર અખિલ વિશ્વમંડલમાં પરમ શાંતિ સુધારસમથી સૌમ્ય જ્યોતિ વિસ્તારી ગયો. વવાણીઆનો આ વાણીઓ-અપૂર્વ રત્નવણિક (ઝવેરી) રત્નત્રયીનો અનન્ય વ્યાપાર કરી પરમ ધન્ય આત્મલાભ પામી ગયો. મહા બ્રહ્મજ્ઞાની એવો આ મહાબ્રાહ્મણ બ્રહ્મરસનો અનન્ય ભોગી મહાયોગી થઈ ગયો. આંતર્ શત્રુઓને જીતનારો આ મહા વીર ક્ષત્રિય આત્મસ્થાને અપૂર્વ વીરત્વ દાખવનારો આત્મવીર ધર્મવીર થઈ ગયો. - શ્રીમદ્ રાજચંદ્રનું જીવન એ એક આત્મસિદ્ધિ માટે સતત મથતા એક પરમ ઉચ્ચ કોટિના દિવ્ય આત્માનું જીવન છે. તેઓ કેવા અંતરંગ આત્મપરિણામી ને નિર્માની હતા તેનો ખ્યાલ, તેઓ અમે (અ + મે) શબ્દનો મારૂં નહિ તે અથવા હું નહિ એવા વિશિષ્ટ અર્થમાં પરમાર્થસત્ય પ્રયોગ કરતા, તે પરથી આવી શકે છે. પ્રાકત સામાન્ય દેહાધ્યાસી જનો હું એટલે દેહ એવો અર્થ કરે છે, પણ હું એટલે આ દેહની અંદર બેઠેલો આત્મા (દહી) એવો ભાવ જ-સતત ઉપયોગ જ શ્રીમના હૃદયમાં છે,-એ એમના વચનામૃતમાં અખંડપણે પ્રવહતી આત્મોપયોગી પરમાર્થધારા ઉપરથી સહજપણે સુપ્રતીત થાય છે. સાત વર્ષની લઘુ વયમાં જેને કોઈ યુવાનના મરણપ્રસંગ પરથી ઊહાપોહ કરતાં જસ્તિસ્મરણ ઉપર્યું હતું અને અપૂર્વ તત્ત્વસંસ્કારો

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312