________________
૧૨૦
પ્રશાવબોધ મોક્ષમાળા
સંવેગ-વૈરાગ્ય જલથી અભિસિંચિત થઈ, અનુકમે વિકાસ પામી, અનુપમ મોક્ષફળ આપે છે. (દોહરા) આત્મસ્વભાવ પ્રયુંજતો, ધર્મ જ યોગ પ્રશસ્ત;
સતુભક્તિ વૈરાગ્ય એ, યોગબીજ સુપ્રશસ્ત.
शिक्षापाठ ४७ : सरलपणुं પ્રશસ્ત યોગ સરલપણા વિના સંભવતો નથી. જ્યાં લગી જીવમાં સરલપણું આવ્યું નથી, ત્યાંલગી મોક્ષસાધક યોગની વાત પણ આકાશકુસુમવત્ છે. કારણકે મોક્ષમાર્ગ જુ-સરલ છે અને જુનો જ મોક્ષ હોય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. એટલે અસરલનો-વકનો તે સરલ મોક્ષમાર્ગમાં પ્રવેશ પણ ક્યાંથી હોય? માટે મુમુક્ષુએ તો દ્રવ્યથી અને ભાવથી સરલપણાનો ગુણ અંતરાત્મપરિણામી કરવા યોગ્ય છે.
સરલપણું એટલે મન-વચન-કાયાના યોગનું ઋજુપણું, અકુટિલપણું, અવકપણું. જેવું મનમાં તેવું વચનમાં, ને વચનમાં તેવું આચરણમાં, એવું મન-વચન-કાયાનું નિર્દભ નિષ્કપટ એકવાક્યપણું તે સરલપણું. સરલ પુરુષને તો જેવું છે તેવું હોઠે હોય. “સરલ તણે જે હઈડ આવે, તેહ જણાવે બોલીજી.” અથવા સરલપણું એટલે ‘આત્મામાં ગુણ ગ્રહણ કરવારૂપ સરલપણું.' સરલ જીવ હોય તે કોઈનો પણ કંઈ પણ ગુણ ખુલ્લા દીલ ને મુક્ત કંઠે સ્વીકારે છે; કદી પણ કોઈનો ગુણ છુપાવતો નથી કે ઉપકાર ઓળવતો નથી. અથવા સરલપણું એટલે પ્રજ્ઞાપનીયપણું અર્થાત સુગમતાથી સમજાવી શકાવાપણું. જેના હૃદયમાં કપટરૂપ આંટીઘૂંટી નથી, એવો બાળો ભોળો સરળ જીવ પ્રજ્ઞાપનીય અર્થાત્ સુગમતાથી સમજાવી શકાય એવો અને “વાળ્યો વળે જિમ હેમ” એવો હોય છે. એટલે તેના આત્મામાં ગુણગ્રહણ સરળતાથી થાય છે; ને તે સત્ય વસ્તુનો કે યથાર્થ અર્થનો સ્વીકાર કરવા સદા તત્પર હોય છે. કેશીસ્વામી મોટા હતા, છતાં સાચું