Book Title: Pragnav Bodh Mokshmala
Author(s): Bhagwandas Mansukh Mehta
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 267
________________ ૨૪૬ પ્રશાવબોધ મોક્ષમાળા ( શિક્ષાપાઠ ૨૦ : વિમવિ ફેમી ૨ - રાગ, દ્વેષ ને મોહ એજ મુખ્ય વિભાવ અર્થાત વિકૃત ચેતન ભાવ છે. આત્માના સ્વભાવથી વિપરીત-વિરુદ્ધ તે વિભાવ; અથવા આત્માના સ્વભાવને અતિક્રમતો ‘વિશેષ ભાવ” તે વિભાવ. આત્માનું શુદ્ધ ચેતનભાવની મર્યાદામાં, મરજાદમાં, મર્યાદાધર્મમાં વર્તન તે સ્વભાવ અને તે જ ધર્મ છે; આ શુદ્ધ ચેતનભાવની મર્યાદાનું ઉલ્લંઘન તે વિભાવ અને તે જ અધર્મ છે. આમ આત્માનું જ્ઞાનાદિ સ્વભાવમાં વર્તવું તે ધર્મ અને રાગાદિ વિભાવમાં વર્તવું તે અધર્મ છે. સ્વભાવરૂપ સ્વધર્મને છોડી આત્માએ પરભાવ પ્રત્યે ગમન કર્યું, તેથી વિભાવરૂપ અધર્મ તેને વળગ્યો; અને તેથી કરીને કર્મ-રાહુએ આત્મ-ચંદ્રનું ગ્રહણ-ગ્રસન કર્યું. તેનો દારુણ વિપાક આત્માને પોતાને જ ભોગવવો પડયો; પારકા ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવારૂપ પાપ અપરાધનો બદલો મળ્યો; “પરધર્મો માયાવદ :''-પરધર્મ ભયાવહ થઈ પડયો! કારણકે દેહાદિ પરભાવને વિષે આત્મભાવની કલ્પનાને (Imagination) લીધે તે પરભાવ નિમિત્તે રાગ-દ્વેષ-મોહાદિ વિભાવ ઉપજ્યા. એટલે તે તે વિષયના યોગમાર્થી-વિષયસંરક્ષણાર્થે કષાય ઉપજ્યા, અને આ જ પ્રકારે અઢારે પાપ સ્થાનકની ઉત્પત્તિ થઈ. દેહાદિમાં આત્મબુદ્ધિરૂપ આ મૂલગત ભ્રાંતિને લીધે મન-વચનકાયાના યોગની પ્રવૃત્તિ પણ પરભાવ-વિભાવને અનુકૂળ થઈ. ઉપયોગ ચૂક્યો એટલે યોગ ચૂક્યો. મનથી પરભાવ-વિભાવના ચિંતનરૂપ દુશ્ચિતિત થવા લાગ્યું; વચનથી પરભાવ-વિભાવ મારા છે એવું મૃષાવચનરૂપ દુર્ભાષિત ઉચ્ચરાવા લાગ્યું; અને કાયાથી પરભાવવિભાવની પ્રાપ્તિ માટેની પ્રવૃત્તિરૂપ દુશ્લેષ્ટિત આચરાવા લાગ્યું. આમ “વિંતિમ કુમાસિક વૈgિ" રૂપ મન-વચન-કાયાના યોગની દુષ્ટ પ્રવૃત્તિરૂપ ‘તુ ' દુષ્કત ઉભરાવા લાગ્યું, અને તે આશ્રવદ્યારથી જીવ કર્મબંધનોથી ગાઢ બંધાવા લાગ્યો. તે આ પ્રકારે : રાગ-દ્વેષ-મોહરૂપ વિભાવ એ ભાવકર્મ છે. તે જીવનું પોતાનું જ સર્જન હોઈ ચેતનરૂપ છે. આ જીવવીર્યની ફુરણા જડ એવું પુદ્ગલ

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312