Book Title: Prachin Shwetambar Arvachin Digambar Author(s): Vidyavijay Publisher: Harshchandra Hirabhai Shah View full book textPage 6
________________ ( ૨ ) ફથી અશાન્તિ રૂપ અગ્નિથી પ્રજ્વલિત થએલા સમયમાં શાન્તિપ્રિય જૈન પ્રજાએ વાસ્તવિક શાતિ ફેલાવવાની જરૂર છે, પર તુ અફસોસની વાત છે કે આવા સમયમાં, ચર્ચાઈ ગએલા વિષયેને પણ એક મહેસું રૂપ આપી કેટલાક દિગમ્બર મહાનુભાવે, તામ્બરે ઉપર આક્ષેપપ્રયુક્ત શબ્દથી ભરપૂર લેખે, પ્રસ્તાવનાઓ વિગેરે બહાર પાડી સુતા સિંહને જગાડવાનું પણ સાહસ કર્યા વિના રહેતા નથી. હવે જે હેવાઓના લેખે ઉચિત જવાબ આપવામાં ન આવે તે ભદ્રિક જીવોના અં. તઃકરણમાં તે વાત અવશ્ય ઠસી જાય કે દિગારોનું કહેવું સાચું છે, અને તેટલાજ માટે કેટલાક હિતૈષીઓની પ્રેરણાથી આ લેખ લખ ઉચિત ધાર્યો છે. દિગમ્બર મતની ઉત્પત્તિ. હવે આપણે દિગમ્બર મતની ઉત્પત્તિને છેડે ખ્યાલ કરીએ. શ્વેતામ્બર મતના ગ્રન્થોમાં એ સ્પષ્ટ પાઠ છે કે-શ્રી મહાવીર દેવના નિર્વાણ થયા બાદ ૬૦૯ વર્ષે શ્રીશિવભૂતિ નામના મુનિથી દિગમ્બર મતની ઉત્પત્તિ થઈ છે. સંક્ષેપમાં– વાત એમ બની હતી કે બરથવીરપુર નગરમાં કોઈ એક દિવસે કૃષણનામા આચાર્ય પધાર્યા, તેઓની સાથે, એક શિવભૂતિ નામના મુનિ હતા, (આ મુનિ રથવીરપુર નગરના જ હતા.) તેમને રાજાએ એક રત્નકંબળ વહેરાવી, ત્યારે આચાર્યે કહ્યું કે આવું વસ્ત્ર સાધુએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 132