________________
બેલ સત્તર
બેલ સત્તરમે
નિયમિત વખતે પથ્યાપથ્યનો વિચાર
કરી ભોજન કરવું
“સાત્વિક રૂચિ અનુસારે અન્ન આરોગવું.”
ખાવાનો હેતુ ભૂખ મટાડવાનો છે. દેહ ટકાવવા-જીવવા માટે ખાવાનું છે, પરંતુ ખાવા માટે જીવવાનું નથી.” જયાં જીવવા-દેહ ટકાવવા માટે જ ખાવાનું લક્ષ્ય હોય ત્યાં કોઈ પણ જાતના સ્વાદ કરવાની ભાવના નજ હોવી જોઈએ. 'જયાં અગ્ર સ્વાદ ત્યાં ઝાઝા રોગ” અતિ ખારાં, ખાટાં, તીખાં, તમતમતાં ગરમા-ગરમ ભજન કરવાથી તામસિ વૃત્તિ-પ્રકૃતિ સ્વિભાવ થવાની સાથે પ્રતિક્ષણે માનસિક પ્રકૃતિ ઉશ્કેરાઈ જાય છે અને મહાન હાની થવા પામે છે.
સ્વાદ કરવાની દ્રષ્ટિ-ભાવનાવાળો માણસ ભૂખ સામે નથી તે પણ સવાદ સામે જુએ છે. સ્વાદિષ્ટ પદાર્થો ટેસથી ખાય છે. ગમે ત્યાંથી મેળવીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com