________________
આલ આગણત્રીશમે
મેલ એગણત્રીશમા
લાકાની પ્રીતિ મેળવવી
જન વલ્લભ થાવાના સદગુણ આદરે’
૯
માણસાઈવાળો માણસ સૌને વલ્લભ-વ્હાલા-પ્રિય બને છે. બધા લોકો તેને ચહાય છે. લોકપ્રિય થનારમાં કેવા સદગુણો હોવા જેઈએ? સરળ સ્વભાવી હોય [ આ એક ગુણ અનેક ગુણીને ઉત્પન્ન કરનાર છે.] સત્ય બોલનાર હોય. દયાળ હોય. કોઈ જીવને દુ:ખ થાય તેવું વચન ન બેલે અને તેવું વર્તન ન રાખે.
માણસઈવાળા માણસ પર સ્ત્રી કે પર પુરૂષ તરફ ખરાબ નજર ન કરે. દાનત શુદ્ધ હોય-હરામની વૃત્તિ ન રાખે. દાનેશ્વરી-ઉદાર દિલના હોય. પરગગ-પરોપકારી હોય. વિનયવાન હોય. સહનશીલ હોય. મેઢામાંથી અપશબ્દ-ગાલ ગંધ ન નીકળે, પર ંતુ હિતકર અને પ્રિયવચન રુપ અત ઝરે. કોઈને છેતરે નહિ અને સંતાપ, સમભાવ તમના પ્રેમપૂર્વક સમાગમ કરે બિનસ્વાથે, નમ્રભાવે પરોપકાર કરનાર જે કે યશકીતિ અને લોકપ્રિય થવાની ઈચ્છા ન રાખે છતાં હાલની સુગંધની પેઠે તેની સુવાસ યશ કીતિ શ્વેતાની મેળે ફેલાય છે અને સર્વ સ્થળે પ્રિય થવા પામે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com