Book Title: Niti Marganusarina 35 Bol athwa Mansai Etle Shu
Author(s): Ratnachandra Muni
Publisher: Jain Siddhant Sabha

View full book text
Previous | Next

Page 114
________________ બેલ એકત્રીશો ૧૦૫ હસી-મશ્કરીઓ કરવી, કોઈની આજીવિકા તોડવી, ઈષ્યપૂર્વક કેની પણ પારકી નિંદા કરવી, શિકાર કરવ, કોઈના ઉપર બળાત્કાર કરવ-ઈજજત પાડવી, જુગાર રમત કરવી, દારૂ-મદિરા-માંસ વિગેરે અભક્ષ્યનું ભક્ષણ કરવું અને જરૂરીયાત કરતાં અધિક લોભ કરવો, શેખ કે મોટાઈના કારણે આરંભ સમારંભનાં-પાપનાં પર જીવોને પીડવાનાં કાર્યો કે ધંધા કરવા ઈત્યાદિક અનાર્ય કાર્યો માણસાઈવાળો માણસ કદિ પણ ન કરે. કારણ કેનિર્દય, લોભી કે એકાંત અધર્મી માણસનાં એ કામ છે. કષ્ટમાં આવી પડેલાં કે મરતાં પ્રાણીઓને દયા લાવી જે રીતે બચાવાય તે રીતે બચાવવાં. દીન-દુ:ખી-નિરાધારને આશરો આપવો. ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, ટાઢ કરતાને વસ્ત્ર, રોગીને ઔષધ, રખડતાને રહેવા સ્થાન જગ્યા અને નિર્ધનને ધન વિગેરેની સહાયતા કરવી. અભણ સ્ત્રી-પુરુષ નાનાંમાટીને વિદ્યા-જ્ઞાન પ્રાપ્ત થવાનાં સાધનો કરી આપવાં. દરેક પ્રકારનાં વ્યસનોથી પોતે બચવું અને બીજાને બચાવવાં. ઉન્માર્ગે ચડેલ્મને સન્માર્ગે ચળવવા. બાળક-બાળકોને સારા સંસ્કાર રેડવા. અર્થાત જે કાર્યોથી પોતાના આત્માને પુણ્ય-હિત વિગેરે લાભ થાય અને અનેક આત્માઓને શાંતિ તથા જ્ઞાન-પ્રાપ્તિ થાય અને તેમની ચડતી તેમજ વળી સદગતિ થાય તેવાં કાર્યો એ આર્ય કાર્યો કહેવાય. દયા અને સદબુદ્ધિપૂર્વક તેવાં આર્ય કાર્યો કરવાં. પિતાના ક્ષણિક સુખ માટે બીજી તરફ નિર્દયતા ન વાપરવી કારણ કે બધા જીવોને આપણી માફક સુખનીજ ઈચ્છા હોય છે. આપણે કોઈને મદદ કરી હોય તો આપણને પણ સંકટના સમયે મદદ આપનાર મળી જાય. બીજનું દુ:ખ ટાળવાની શકિત ન હોય તે હરકત નહિ, પરંતુ કોઈને દુ:ખ તો ન જ આપવું, એ દયાળુ આર્ય માણસનું કર્તવ્ય છે. દયાળ મનુષ્યને નિરોગી શરીર અને દીર્ધાયુખ મળે છે. અને ધર્મને લાયક બની શકે છે. માટે દયા દિલમાં રાખીને આર્મ-ઉત્તમ પરોપકારનાં કાર્યો હાં કરવાં એ નીતિમાર્ગાનસારીને ૩૧ મો ગુણ જાણવો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148