Book Title: Niti Marganusarina 35 Bol athwa Mansai Etle Shu
Author(s): Ratnachandra Muni
Publisher: Jain Siddhant Sabha

View full book text
Previous | Next

Page 118
________________ એલ તેત્રીસ ૧૦૯ પરાયાં દુ:ખ જાણવાની કે પરોપકાર કરવાની દરકાર પણ હોતી નથી. જેની રગેરગમાં પ્રાણી માત્ર તરફ દયા, પ્રેમ, મૈત્રી અને સમભાવના પૂર વહેતાં હોય; સત્ય, સંયમ, સંતોષ, ક્ષમા, ગંભીરતા, સરળતા, નતા અને ઉદારતા વિગેરે સદગુણ જેના આત્માને ઉજજવળ બનાવતા હોય તેવો માણસ પોપકાર કરી શકે છે. પરોપકાર કરનાર માણસ દિવસ કે રાત જુવે નહિ. ભૂખ, તૃષા, ટાઢ, તાપ વિગેરે અગવડો વેઠે છે. શરીરના કષ્ટોને કે ધનના ક્ષયને ચેતો નથી. સ્વજ્ઞાતિ કે ૫ર શાતિ, સ્વદેશ કે પરદેશ, સ્વધર્મ કે અન્ય ધર્મ તેમજ સ્વકુટુંબ કે પર કુટંબ વિગેરેને ભેદ પરોપકાર કરનાર ન જુવે. પરોપકારી માણસ પ્રત્યક્ષ દેખાતા દુ:ખી કે કટમાં આવી પડેલા કોઈ પણ પ્રાણીને પતાથી અપરિચિત હોઈ, અગર આબરૂદાર કે ખાનદાન કુટુંબ-કુળ કે નાતનો હોઈ, મદદ ન માંગે છતાં ભૂત-ભવિષ્યને વિચાર ન કરતાં વર્તમાન સ્થિતિનો અનુભવ કરી દુ:ખમાંથી કે કષ્ટમાંથી બચાવવા તન, મન, વચન ને ધનથી બનતો પ્રયાસ કરે છે. પરોપકારી માણસ દબમાં-અરશ કટેકટીના પ્રસંગમાં આવી પડેલા કે નિરાધાર જીવને કોઈ જતના બદલાની આશા વગર હિંમત આપી દરેક રીતે સહાયતા કરે છે. દરિદ્રીને ધન, રોગીને દવા, ભૂખ્યાને ભજન, તરસ્યાને પાણી, નગ્ન-વસ્ત્ર વગરના કે ટાઢે કરતાને કપડું, રતાને આશ્રયસ્થાનજગ્યા, અશાની કે અભણને શાન કે વિદ્યા પ્રત્પિનાં સાધનો, કોઈ શિકારી પશુ કે નિર્દય મનુષ્ય થકી પ્રાંત કટમાં આવી પડેલા જીવને અભયદાન, ભૂલા પડેલાને માર્ગદર્શન, ઉન્મા–બિસન કે દુર્ગુણના માર્ગે ચડેલાને ઉપદેશહિતશિખામણ આપીને સુમાર્ગે સદગુરના માર્ગે ચડાવવાની સહાયતા આપવી. કેઈ અબળા-રી ઉપર બળાત્કાર કરનાર વકી શીવારમણ ૫ દાન આપવું. દુર્ગતિ જતને સદગતિ અપાવવી અને મહાન અપરાધીને પણ ક્ષમા-માફી આપવી. ઈત્યાદિક ઉપકાર ઉપકારી મારુસ કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148