Book Title: Niti Marganusarina 35 Bol athwa Mansai Etle Shu
Author(s): Ratnachandra Muni
Publisher: Jain Siddhant Sabha

View full book text
Previous | Next

Page 111
________________ ૧૦૨ બોલ ત્રીશ થાય તો તેને મનમાં જ દબાવી દે. કોઈ અનિવાર્ય કારણથી ખરાબ કામમાં પ્રવૃત્તિ કરે પણ ખચે છતાં તેવી નિર્લજજતા વાળી બેહદ ખરાબ પ્રવૃત્તિ તો ન જ કરે. સંકેચાતા મને તેવી પ્રવૃત્તિ કરીને તત્કાળજ તેનાથી પાછો હટે. ‘તમારા જેવા સાચ માણસ આવું કામ કરે તે શું વ્યાજબી ગણાય? આટલી ટકોર તે લજાવાન માણસને મરણથી પણ અધિક થઈ પડે. શરીરની મર્યાદા જાળવવા માણસ કપડાં પહેરે છે. તે કપડાં જાડાં હોય તો અંગ ઢંગાય-મર્યાદા જળવાય, પરંતુ તે અંગ દેખાય તેવાં ઝીણાં દેખાવમાં ભભકાવાળાં હોય તે મર્યાદા જળવાય નહિ. મર્યાદા જાળવવાનો હેતુ ન જળવાય તો એ કપડાં પહેરવાં માત્ર શોભા માટેજ છે એમ કહી શકાય. ત્યાં લજાને સ્થાન નથી. કુલીનત્ય ન હોય ત્યાં લજજ ન હોય. લજજા ન હોય ત્યાં શિયળ પણ કયાં સચવાય?. નિર્લજજ મનુષ્ય પશુ કરતાં પણ હલકો છે. કારણકે પશુઓને તે મૂળથી અશાન દશા છે. કર્તવ્ય અકર્તવ્ય સંબંધી વિચારશકિત હોતી જ નથી. જયારે મનુષ્યને વિચાર શકિત સારાસારને વિવેક છે છતાં નિર્લજ પ્રવૃત્તિ કરે તે તેની દુનિયામાં આબરૂ રહેતી નથી. અકાર્યમાં પ્રવૃત્તિવાળો હોવાથી આ ભવ અને આવતો ભવ સુખરૂપ નીવડતો નથી. માટે અનેક સદગુણ પ્રાપ્તિની ખાણ સમાન લજજ ગુણને હે ભવ્યાત્માઓ! ધારણ કરો. લજા ગુણ પુરૂષ અને સ્ત્રીઓનો અમૂલ્ય અલંકાર-શણગાર છે. લજા હોય ત્યાં કુલીનતા હોય અને કુલીનતા હોય ત્યાં દયા પણ આવે છે. અને દયાળ માણસ દાન કરી શકે છે. લજજા હોય તો શિયળ પાળી શકાય. લજા હોય તે વચન વિચારીને બોલાય, કજીઓ-કલેશ ન થાય, અપશબદગાળ ગંધ ન બોલાય પરંતુ કાર્ય પૂરતું જ બોલાય. દુર્ગણામાં સપડાઈ અધ:સ્થિતિએ પહોંચેલ માણસ પણ લજપથી પાછો સુધરી શકે છે. માટે લજા-મર્યાદાથી બોલવું, ચાલવું અને કામકાજ કરવું. લજા વગરનો દુર્ગણી માણસ કોઈપણ ઉપાય સુધરી શકતો નથી. ઉજજ ન હોય તે મનુષ્ય પશુ ચરખ ગણાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148