Book Title: Nishadh Pati
Author(s): Mohanlal Chunilal Dhami
Publisher: Navyug Pustak Bhandar

View full book text
Previous | Next

Page 332
________________ પિતાને ઘેર 323 બોલ્યાં, “સ્વામી, આપ એકાએક..' દેવી, થોડી વાર પહેલાં જ મેં ભારે હૃદયવિદાર સમાચાર સંભળ્યા. એક સાર્યવાહે મને કહ્યું. મહારાજ નળ...દમયંતીને વનવગડે છોડીને એકલા ચાલ્યા ગયા હતા. અને દમયંતી પગે ચાલતી અહીં આવવા નીકળી હતી. પરંતુ એ વાતને ઘણો સમય થઈ ગયો. બને ત્યાં હશે? એમનું શું થયું હશે ? " મહાદેવી પ્રિયંગુમંજરી પણ આ વાત સાંભળીને ભારે વેદનાહત ત્યાર પછી તે સમગ્ર રાજભવનમાં શૃંગાર, ઉત્સવ, તબુલ રમતગમત વગેરે સ્વતઃ બંધ થઈ ગયાં. મંત્રીઓએ મહારાજને દૌર્ય આપ્યું અને મહારાજ ભીમે મંત્રીઓની સલાહ મુજબ શતાધિક જાસૂસોને રવાના કરી દીધા. મહારાજ ભીમના ચરપુરુષો ભારે દક્ષ, ચપળ અને મુખના ભાવો પરથી સઘળું સમજી જાય તેવા કેળવાયેલા હતા. મહારાજાએ પોતાના ચર પુરુષોને વિદાય આપતી વખતે કહ્યું હતું, " આપનામાંથી જે કઈ મહારાજ નળના અથવા મારી પ્રિય પુત્રી દમયંતીના સમાચાર લાવશે તેને હું વંશપરાગત ભેગવટો કરી શકે એવાં વીસ ગામ આપીશ અને ઉત્તમ પ્રકારની ભેટ આપીને સમૃદ્ધ બનાવીશ.” અને સહુ વિવિધ દિશા તરફ વિદાય થયા. સુદેવ અને શાંડિલ્ય નામના બે ચરપુરુષો ધીર, વીર, દક્ષ અને ઘણા ચતુર હતા. તેઓએ એક વિચાર મનમાં નકકી કર્યો... મહારાજા નળથી વિખૂટાં પડેલાં રાજકુમારી જે આ તરફ આવવા નીકળ્યાં હોય તો વિંધ્યના પાવતિય માર્ગે જ આવે. અને એમને નીકળવાને ઘણા મહિનાઓ વીતી ગયા છે. એટલે માર્ગમાં જ તેઓ કોઈ સ્થળે

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370